શોધખોળ કરો
ધનતેરસના દિવસે આ વસ્તુ જરૂર ખરીદો, જાણો ખરીદીનું શુભ મૂહર્ત

ધર્મઃ આજે ધનતેરસની ઉજવણી આખા દેશમાં મનાવવામાં આવશે. ધનતેરસ કાર્તિક કૃષ્ણ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ધ મંથન દરમિયાન અમૃતનો કળશ લઇને ધન્વંતરી પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવતાઓના વૈધ પણ છે. સ્વાસ્થ્ય રક્ષા અને આરોગ્ય માટે આ દિવસે ધન્વંતરી દેવની ઉપાસના કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનના યોગનું પર્વ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘરને સાફ સફાઈ કરીને રાખવું. તેમજ સાંજના સમયે મા લક્ષ્મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે લોકો મૂલ્યવાન ધાતુ જેવી કે નવા વાસણો અને ઘરેણાની ખરીદી કરે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ ખરીદે છે. જેથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ આખા વર્ષ દરમિયાન ધન અને અન્નની અછત રહે નહીં. ધનતેરસની ખરીદીનું મૂહર્ત શું છે? -ધનતેરસના દિવસે ખરીદી માટે બે મૂહર્ત વિશેષ શુભ રહેશે. -બપોરે 01:11થી 02 43 સુધી કુંભ લગ્ન -સાંજે 0549 થી 0746 સુધી વૃષ લગ્ન ધનતેરસના દિવસે કઇ રીતે પૂજા કરવામાં આવે છે -સાંજના સમયે ઉત્તર તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો. -બાદમાં બંન્ને સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવો. -કુબેરને સફેદ મીઠાઇ અને ધન્વંતરીને પીળા રંગની મીઠાઇ ચઢાવો. - પ્રથમ ॐ ह्रीं कुबेराय नमःનો જાપ કરો. -બાદમાં "धन्वन्तरि स्तोत्र"નો પાઠ કરો. -બાદમાં પ્રસાદ ગ્રહણ કરો. -પૂજા બાદ દિવાળી પર કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો. ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જરૂરી છે? -ધાતુનું વાસણ, જો પાણીનું વાસણ હોય તો ખૂબ સારુ રહેશે. -ગણેશ- લક્ષ્મીજીની મૂર્તિઓ, બંન્ને અલગ અલગ હોવી જરૂરી છે. - અંકોનો બનેલું ધનનું કોઇ યંત્ર ખરીદો. ધનતેરસના દિવસે શું કરવું જોઇએ અને કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ -આ દિવસે ફક્ત કુબેરની પૂજા ના કરો. ધન્વંતરી દેવતાની ઉપાસના પણ જરૂરી છે. -આ દિવસે સોનું, પીતળ, ચાંદી અથવા સ્ટીલની ખરીદી કરો. -દિવાળી માટે ગણેશજી-લક્ષ્મીજીની મૂર્તિઓ અને અન્ય પૂજન સામગ્રી પણ આ દિવસે ખરીદો. -ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાનું ટાળો. -આ દિવસે થોડું દાન પણ કરવું જોઇએ અને આ દાન ગરીબોમાં કરો તો વધુ સારું છે.
વધુ વાંચો




















