Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rath yatra 2024: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે.
LIVE
![Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/f84a139995bff1694aac057e96a9cb0b172031306491876_original.jpg)
Background
Rath Yatra 2024 Updates: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. જેમાં 12500 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત, પેરા મિલિટરી ફોર્સ સહિત 24 હજાર જેટલા જવાનો તહેનાત રહેશે. આ સાથે પોલીસે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત પણ ગોઠવાયો છે, જેમાં 14 સ્થળે પોલીસે 46 જેટલા 360 ડિગ્રી મુવમેન્ટ ધરાવતા કેમેરા લગાવ્યા છે. આ સાથે કોઇ જાહેરાત કરવા માટે 11 લોકેશન પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ સેટ કરાઈ છે. તેમજ રથયાત્રામાં શંકાસ્પદ લોકોની ઓળખ ઝડપથી થાય તે માટે 14 સ્થળે 21 ફેસ રેકગ્નિશન કેમેરા લગાવાયા છે. ઇમરજન્સી કોલ બોક્સ પણ સેટઅપ કરાયા છે, જ્યારે સૌ પ્રથમવાર 14 સ્થળે હાઇટેક વીડિયો કેમેરા લગાવાયા છે. જેની ખાસિયત છે કે આ કેમેરાથી ભીડમાં રહેલા લોકોની સંખ્યા જાણ શકાશે.
અમિત શાહે કર્યા મંગળા દર્શન અને આરતી
#WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah participates in Mangla Aarti at Jagannath Temple, before the Jagannath Rath Yatra 2024. pic.twitter.com/1rQ5pahbF8
— ANI (@ANI) July 6, 2024
અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા.
ભગવાન જગન્નાથનો રથ કાલુપુરથી નીકળ્યો
ભગવાના જગન્નાથ હવે નિજ મંદર જવા માટે રવાના થયા છે, હાલમાં ભગવાનનો રથ કાલુપુરથી નીકળીને આગળ વધ્યો છે. રથયાત્રા દરમિયાન ભક્તોમાં જોરદાર ઉત્સાહનો જોવા મળી રહ્યો છે.
ગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા રવાના થઈ ગયા છે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો જોવા મળ્યા છે. પ્રસાદી લેવા અને દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે.
ભગવાનને અર્પણ કરવામાં આવ્યું મામેરું
અમદાવાદના સરસપુરમાં ભગવાનનું વાજતે ગાજતે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વખતે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ છે. ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.
મોસાળમાં સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જગન્નાથના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રવિવારની રજા હોવાથી લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)