શોધખોળ કરો

Vastu  તુલસીનો છોડ ઘરમાં રાખવાના છે ખાસ નિયમો, જાણો તેના વિશે

તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.


આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

ક્રિસમસના દિવસે ઘરમાં કેમ રાખવામાં આવે છે ક્રિસમસ ટ્રી ? જાણો

નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે. આ તહેવાર પર ક્રિસમસ ટ્રીનું પણ ઘણું મહત્વ છે. ક્રિસમસ ટ્રી તારાઓ, ભેટો અને રંગબેરંગી બોલ અને લાઇટ્સથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રી ઘરમાં લાવવા અને સજાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે

બાઇબલમાં ઈસુની કોઈ જન્મ તારીખ આપવામાં આવી નથી, પરંતુ 25 ડિસેમ્બરના દિવસે જ દર વર્ષે ક્રિસમસ ઉજવવામાં આવે છે. આ તારીખને લઇ ઘણી વખત વિવાદ પણ થયો છે. પરંતુ 336 ઈ.પૂર્વમાં રોમનના પહેલા ઈસાઈ રોમન સમ્રાટના સમયમાં સૌથી પહેલા ક્રિસમસ 25 ડિસેમ્બરે ઉજવવામાં આવી હતી. એના થોડા વર્ષો પછી પૉપ જુલિયસએ અધિકારીક રીતે ઈસુના જન્મને 25 ડિસેમ્બરે જ ઉજવવાનું એલાન કર્યું હતું.

ક્રિસમસ ટ્રીને લઇને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર 16મી સદીના ખ્રિસ્તી ધર્મના સુધારક માર્ટિન લ્યુથરે આની શરૂઆત કરી હતી. માર્ટિન લ્યુથર 24 ડિસેમ્બરની રાતે ગાઢ અને બર્ફીલા જંગલોમાંથી આવતા હતા. જ્યાં તેમણે એક સદાબહાર ઝાડ જોયું. ઝાડની ડાળીઓ ચંદ્રની રોશનીની જેમ ચમકી રહી હતી. ત્યારબાદ માર્ટિન લ્યુથરે પોતાના ઘર પર પણ સદાબહાર ઝાડ લગાવ્યુ. તેને નાની નાની કેન્ડલથી સજાવ્યુ. ત્યારબાદ જીસસ ક્રિસ્ટના જન્મદિવસના સન્માનમાં પણ તેમને સદાબહાર ઝાડને સજાવ્યુ અને તેને રોશનીથી પ્રકાશિત કર્યુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
500 Rupees News: તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી? RBIએ જણાવી દીધું 'સિક્રેટ' ફીચર
500 Rupees News: તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી? RBIએ જણાવી દીધું 'સિક્રેટ' ફીચર
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
Embed widget