શોધખોળ કરો

Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો

Ganesh Visarjan 2026: 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ શરૂ થયો અને 25 સપ્ટેમ્બર અનંત ચતુર્થીથી આ ઉત્સવની સમાપ્તિ થશે, તો વિસર્જન સમયે કેટલીક ભૂલો ટાળવી જરૂરી છે. જાણીએ વિસર્જનના નિયમો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અનંત ચતુર્દશી, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન કરવામાં આવશે.
  • સ્નાન, પૂજા, આરતી કરી ગણેશજીને શ્રદ્ધાપૂર્વક વિદાય આપો.
  • નારિયેળ ન તોડો, ઘરમાં જ મૂર્તિ વિસર્જન કરો.

Ganesh Visarjan 2026: હાલ દેશભરમાં  ગણેશ ચતુર્થીનું પર્વ ધૂમધામથી મનાવાય રહ્યું છે. ગણેશ ચતુર્થીથી માંડીને  આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. તો બાપ્પાને કેવી રીતે વિદાય આપવી વિસર્જના નિયમો જાણીએ 

અનંત ચતુર્દશીના દિવસે, ભક્તો બાપ્પાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપે છે અને આવતા વર્ષે વહેલા પાછા ફરવાનું નિમંત્રણ આપે છે. આ સાથે જ ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. 
અનંત ચતુર્દશી ક્યારે છે?

વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, સોમવારના રોજ બપોરે 3:10 વાગ્યે શરૂ થશે. આ તારીખ 17 સપ્ટેમ્બર , મંગળવારે રાત્રે 11:44 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બરે ઉદયતિથિના આધારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના

ગણપતિનું વિસર્જન કેવી રીતે કરવું
ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે, વ્યક્તિએ પહેલા સ્નાન અને ધ્યાન કરવું જોઈએ અને શરીર અને મનથી શુદ્ધ થવું જોઈએ અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને, જ્યાં બાપ્પા બેઠા છે તે સ્થાનને સાફ અને શુદ્ધ કરવું જોઈએ. આ પછી ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવો અને ત્યારબાદ તેમને તિલક, ફૂલ, ફળ, મોદક, દુર્વા વગેરે ચઢાવો. આ પછી, ગણપતિ બાપ્પા સામે દીવો પ્રગટાવો અને તેમની આરતી કરો, પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો અને તમારા જીવનમાં શુભતા આવે  માટે  પ્રાર્થના કરો,  બાદ વિસર્જિત કરો. જો કે ગણેશજીને ક્યારેય વિસર્જનનો મંત્ર બોલીને વિદાય ન આપો પરંતુ હંમેશા રિદ્ધિ સિદ્ધિ સાથે ઘરમાં વસે તેમની કામના સાથે મૂર્તિને વિસર્જિત કરો. જ્યારે પણ સ્થાપના કરો ત્યારે પૂજામાં રહેતી કાયમી ગણેશની મૂર્તિને પણ સ્થાપિત કરો અને વિસર્જન સમયે આ મૂર્તિને ઘરના કાયમી પૂજા સ્થાન પર મૂકીને જ બાપ્પાની અન્ય માટીની મૂર્તિને વિસર્જિત કરો. બાપ્પાની મૂર્તિને  વિસર્જિત કરતી સમયે વિસર્જનનો મંત્ર બોલીને તેને વિદાય અપાય તો તે શુભ નથી મનાતું. 

ગણેશ વિસર્જનના નિયમો 

ગણેશ બાપ્પાની મૂર્તિને વિસર્જન મંત્ર બોલીને ક્યારે વિદાય ન આપો

હંમેશા શુભ મુહૂર્ત જ વિસર્જન કરવું જોઇએ 

પૂજા દરમિયાન ગણપતિને ચઢાવવામાં આવતી સામગ્રીને તેની સાથે વિસર્જિત કરો.

જો તમે ભગવાન ગણેશને નારિયેળ અર્પણ કર્યું છે, તો તેને ન તોડો અને તેની સાથે તેનું વિસર્જન કરો.

ભગવાન ગણેશની મૂર્તિને પૂર્ણ ભક્તિ સાથે પાણી વિસર્જિત કરો

આ દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાને વિદાય આપો, અને આવતા વર્ષે આવવા વિનંતી પણ કરો.

હિંદુ માન્યતા અનુસાર ગણપતિનું વિસર્જન હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ.

ગણેશ વિસર્જનના દિવસે કાળા કપડા ન પહેરવા.

ગણપતિની પૂજામાં ચઢાવવામાં આવતી તમામ પૂજા સામગ્રીને ગણપતિની સાથે જ પાણીમાં વિસર્જિત કરી દો.

જો તમે ગણપતિને નારિયેળ અર્પણ કર્યું હોય તો તેને ક્યારેય તોડશો નહીં પરંતુ આખું નારિયેળ પાણીમાં વિસર્જિત કરો 

ગણપતિની મૂર્તિને કોઈપણ નદીમાં  વિસર્જિત ન કરતા ઘરમાં જ કન્ટેનરમાંપાણી નાખીને  સન્માનપૂર્વક વિસર્જિત કરો.  

ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ઊંડા પાણીમાં ન જવું.

ગણપતિની મૂર્તિને ઘરમાં જ ટબમાં વિસર્જન કરો અને માટીને ક્યારામાં નાખી દો

જો તમારી મૂર્તિ નાની છે, તો તેને તમારા ઘરના ટબમાં વિસર્જિત કર્યા પછી, તમે તેના પાણી અને માટીને વાસણમાં અથવા બગીચામાં  છોડના ક્યારામા પધરાવી દો. 

Frequently Asked Questions

અનંત ચતુર્દશી ક્યારે છે?

આ વર્ષે અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બરે બપોરે શરૂ થઈ 17 સપ્ટેમ્બરે રાત્રે સમાપ્ત થશે.

ગણપતિનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ?

સ્નાન કરી શુદ્ધ થઈ, સ્થાન સાફ કરી, ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવો. તિલક, ફૂલ, મોદક ચઢાવી આરતી કરો અને માફી માંગી શુભતા માટે પ્રાર્થના કરો.

ગણેશ વિસર્જન દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ?

વિસર્જન મંત્ર ન બોલવો, હંમેશા શુભ મુહૂર્તમાં વિસર્જન કરવું. પૂજાની સામગ્રી અને આખું નારિયેળ મૂર્તિ સાથે જ વિસર્જિત કરવા. કાળા કપડા ન પહેરવા.

ગણેશજીની મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું જોઈએ?

ગણપતિની મૂર્તિને કોઈપણ નદીમાં વિસર્જિત કરવાને બદલે ઘરમાં જ કન્ટેનર કે ટબમાં સન્માનપૂર્વક વિસર્જન કરવું. માટીને ક્યારામાં કે છોડના વાસણમાં નાખી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો
Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો
Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના
Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના
Today's Horoscope: આજે રાધાઅષ્ટમીના અવસરે આ રાશિનો થશે ભાગ્યોદય, શ્રીજીની કૃપાથી થશે સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Today's Horoscope: આજે રાધાઅષ્ટમીના અવસરે આ રાશિનો થશે ભાગ્યોદય, શ્રીજીની કૃપાથી થશે સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Ganesh Utsav 2026: ગણેશ ઉત્સવે રાશિ અનુસાર કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Ganesh Utsav 2026: ગણેશ ઉત્સવે રાશિ અનુસાર કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Advertisement

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Embed widget