શોધખોળ કરો

પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન

Check Petrol Purity Pump: શું તમારા વાહનમાં ખોટા ઇથેનોલ પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે? ઘનતા તપાસ અને ફિલ્ટર પેપર ટેસ્ટ જેવી સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે તમારા ઇંધણની શુદ્ધતા ઝડપથી કેવી રીતે નક્કી કરી શકો છો તે જાણો.

Check Petrol Purity Pump:  ભારતમાં આજકાલ એથનોલ બ્લેન્ડેડ પેટ્રોલને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. એક તરફ સરકાર તેના ફાયદાઓ વિશે સતત માહિતી આપી રહી છે, જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે સામાન્ય પેટ્રોલના બદલે વધુ એથનોલવાળું ઇંધણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે.

 

આ ચર્ચાઓને કારણે કાર અને બાઈક માલિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમની ગાડીમાં ભરાતું ઇંધણ ખરેખર કેટલું શુદ્ધ છે. જો તમને પણ આ અંગે ચિંતા હોય, તો કેટલીક સરળ રીતોથી તમે જાતે જ ઇંધણની ગુણવત્તા અને તેમાં રહેલા એથનોલની માહિતી જાણી શકો છો.

ફ્યુઅલ ડિસ્પેન્સર પર લાગેલા સ્ટિકર પર ધ્યાન આપો

જ્યારે પણ તમે પેટ્રોલ પંપ પર જાઓ, ત્યારે સૌપ્રથમ ફ્યુઅલ નોઝલ પાસે આવેલી ડિસ્પેન્સર મશીનના ડિજિટલ ડિસ્પ્લે અને તેના પર લગાવવામાં આવેલા સ્ટિકરને ધ્યાનથી જુઓ. સરકારના નિયમો મુજબ દરેક પેટ્રોલ પંપ માટે સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત છે કે તે મશીનમાંથી કયા પ્રકારનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.

E10 એટલે પેટ્રોલમાં 10 ટકા એથનોલ મિશ્રિત છે.
E20 એટલે 20 ટકા એથનોલ મિશ્રિત છે.
E85 એટલે 85 ટકા એથનોલ ધરાવતું ઇંધણ.

તમારી ગાડીની યુઝર મેન્યુઅલમાં જે પ્રકારનું ઇંધણ સૂચવવામાં આવ્યું હોય, તે મુજબ જ યોગ્ય મશીનમાંથી પેટ્રોલ ભરાવવું જોઈએ.

આ પણ વાંચો: Flex Fuel: કેવી રીતે કામ કરે છે ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી, શું આ CNG થી પણ ઓછું કરે છે પ્રદૂષણ ?

ફિલ્ટર પેપર ટેસ્ટથી કરો ચકાસણી

જો તમને શંકા હોય કે પેટ્રોલમાં વધુ એથનોલ અથવા પાણી ભેળવવામાં આવ્યું છે, તો તેની ચકાસણી સ્થળ પર જ કરી શકાય છે. ગ્રાહક અધિકારો મુજબ દરેક પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર ઉપલબ્ધ રાખવું ફરજિયાત છે.

પંપ કર્મચારી પાસેથી ફિલ્ટર પેપર લઈને તેના પર પેટ્રોલના થોડા ટીપાં નાખો. જો પેટ્રોલ સંપૂર્ણ શુદ્ધ હશે તો તે કોઈપણ ડાઘ છોડ્યા વગર ઉડી જશે. પરંતુ જો કાગળ પર ઘાટો ડાઘ રહી જાય અથવા રંગીન લીટી દેખાય, તો સમજી લો કે ઇંધણની ગુણવત્તામાં ગડબડ હોઈ શકે છે.

ડેન્સિટી પર પણ રાખો નજર

પેટ્રોલની શુદ્ધતા અને તેની સાચી કેટેગરી ઓળખવાની સૌથી વિશ્વસનીય વૈજ્ઞાનિક રીત તેની ડેન્સિટી (ઘનતા) ચકાસવાની છે. દરેક પેટ્રોલ પંપ પર દરરોજ સવારે ઇંધણની ડેન્સિટી અપડેટ કરવામાં આવે છે, જે ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળે છે.

સામાન્ય પેટ્રોલની ડેન્સિટી 720 થી 775 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર (kg/m³) વચ્ચે હોવી જોઈએ. જો સ્ક્રીન પર દર્શાવાતો આંકડો આ નિર્ધારિત મર્યાદાથી ઘણો ઓછો અથવા વધુ હોય, તો તે ઇંધણની ગુણવત્તામાં ગડબડ અથવા ભેળસેળ હોવાનો સંકેત હોઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
20 હજાર ડાઉન પેમેન્ટ પર Tiago CNG ખરીદો તો કેટલી આવશે EMI? જાણો ગણતરી
20 હજાર ડાઉન પેમેન્ટ પર Tiago CNG ખરીદો તો કેટલી આવશે EMI? જાણો ગણતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget