સાઉથના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે જાન્યુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. સાઉથના પાવર કપલ્સ ગણાતા ધનુષ અને એશ્વર્યાએ અલગ થવાની જાહેરાત કરતાં તેમના ચાહકોને ઝટકો લાગ્યો હતો. પરંતુ છૂટાછેડા બાદ પણ બંનેએ પોતાના સંબંધને સારો બનાવી રાખ્યો છે. હમણાં જ ધનુષે એશ્વર્યા રજનીકાંતને લઈને એક એવું ટ્વીટ કર્યું હતું કે, આ સેલીબ્રીટી ફરીથી ચર્ચામાં આવી ગયા છે. 


એશ્વર્યા રજનીકાંતનું ગીત 'પયાની' હાલમાં જ રીલીઝ થયું છે જેના પર એશ્વર્યા ઘમા લાંબા સમયથી કામ કરી રહી હતી. પયાની સોન્ગને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો છે. જે બાદ ધનુષે પણ એશ્વર્યાને અભિનંદન આપ્યા હતા. ધનુષના અભિનંદન મેસેજથી બધાનું ધ્યાન ધનુષ તરફ ખેંચાયું છે.










ધનુષે એશ્વર્યાને અભિનંદ આપતાં લખ્યું હતું કે, 'સોન્ગ પયાનીને લઈને તમને અભિનંદ મારી દોસ્ત.' ધનુષે સોશિયલ મીડિયા પર પૂર્વ પત્ની એશ્વર્યા રજનીકાંતને દોસ્ત કહીને સંબોધન કર્યું હતું. એશ્વર્યાએ પણ ધનુષના અભિનંદનો જવાબ આપ્યો હતો અને ટ્વીટમાં રિપ્લાય કરતાં લખ્યું કે, 'અભિનંદન ધનુષ'


આ પણ વાંચોઃ


G-23ની બેઠક બાદ સોનિયા ગાંધીને મળ્યા ગુલામ નબી આઝાદ, જણાવ્યું શું થઈ વાતચીત


રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે ચીનની એન્ટ્રી, શી જિનપિંગે બાઈડેન સાથેની વાતચીતમાં આપ્યું મોટું નિવેદન


યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો


IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય