શોધખોળ કરો

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

singer s janaki passes away: 60 વર્ષની શાનદાર કારકિર્દીમાં અનેક ભાષાઓમાં જાદુ પાથરનાર 'જાનકી અમ્મા'એ શ્વાસની તકલીફ બાદ મૈસુરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિગ્ગજ પ્લેબેક સિંગર એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન.
  • 60 વર્ષની લાંબી કારકિર્દીમાં 48,000થી વધુ ગીતો ગાયા.
  • દક્ષિણ કલાકારોના મોડા સન્માન બદલ પદ્મ ભૂષણ નકાર્યો.
  • 2017માં ગાયિકીમાંથી નિવૃત્તિ લીધી; પુત્રનું પણ નિધન થયું.

singer s janaki passes away: સંગીત જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'બોલ બેબી બોલ' અને 'ઓ મારિયા' જેવા સુપરહિટ ગીતોથી ઘર-ઘરમાં જાણીતા બનેલા દિગ્ગજ પ્લેબેક સિંગર એસ. જાનકીનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. શનિવારે મૈસુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની 60 વર્ષની લાંબી અને શાનદાર કારકિર્દીમાં તેમણે અલગ-અલગ ભાષાઓમાં 48,000 થી વધુ ગીતો ગાઈને સંગીત પ્રેમીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. તેમના જવાથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક મોટો ખાલીપો સર્જાયો છે.

શ્વાસની તકલીફ બાદ દાખલ કરાયા હતા

મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શનિવારે તેમનું અવસાન થયું. એસ. જાનકીએ પોતાના કરિયરમાં 48,000 કરતા પણ વધારે ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમણે ખાસ કરીને હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પોતાનો અવાજ આપ્યો હતો. હિન્દી સિનેમામાં તેમને 'બોલ બેબી બોલ' (મેરી જંગ), 'પ્રભુ મોરે અવગુન' (સુર સંગમ), 'ઓ મારિયા' (સાગર) અને 'ગોપાલા ગોપાલા' (હમસે હૈ મુકાબલા) જેવા ગીતોથી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી.

મોડું સન્માન મળતા પદ્મ ભૂષણ લેવાની ના પાડી હતી

જાનકી અમ્માની અદભુત ટેલેન્ટને ધ્યાનમાં રાખીને તેમને 4 નેશનલ ફિલ્મ એવોર્ડ અને અનેક સ્ટેટ લેવલના એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1957 માં સિંગિંગ કરિયર શરૂ કરનાર જાનકીએ પોતાનું પહેલું હિન્દી ગીત 1958 માં રિલીઝ થયેલી ફિલ્મ 'મિસ 58' માટે ગાયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે 2013 માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ એવોર્ડ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે સાઉથના કલાકારોને નેશનલ લેવલે બહુ મોડું સન્માન મળે છે અને તેમને તેમનો યોગ્ય હક નથી મળતો.

સંગીત જગતની જાનકી અમ્મા અને તેમની નિવૃત્તિ

સંગીતની દુનિયામાં લોકો તેમને પ્રેમથી 'જાનકી અમ્મા' કહીને બોલાવતા. તેઓ હંમેશા માનતા કે સારો અવાજ એ ભગવાનની ભેટ છે, અને પોતાની સફળતાનો પૂરો શ્રેય તેઓ સંગીતકારો અને ગીતકારોને આપતા હતા. સાઉથમાં એસ.પી. બાલાસુબ્રમણ્યમ અને એસ. જાનકીની જોડી સૌથી હિટ ગણાતી. આ બંનેએ સાથે મળીને હજારો યુગલગીતો (ડ્યુએટ) ગાયા છે.

લગભગ 6 દાયકા સુધી સિંગિંગ કર્યા પછી 2017 માં તેમણે જાહેરાત કરી દીધી હતી કે હવે તેઓ કોઈ નવું ગીત રેકોર્ડ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, "મેં હવે ઘણું ગાઈ લીધું છે, હવે હું આરામ કરવા માંગુ છું." મૈસુરમાં એક લાઈવ પ્રોગ્રામ આપીને તેમણે પોતાની કારકિર્દીનો અંત કર્યો હતો.

અંગત જીવનમાં સહન કર્યા હતા દુઃખ

તેમના અંગત જીવનની વાત કરીએ તો, એસ. જાનકીએ 1959 માં વી. રામપ્રસાદ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 1997 માં હાર્ટ એટેકથી તેમના પતિનું નિધન થઈ ગયું. તેમનો એકમાત્ર દીકરો મુરલી કૃષ્ણ પણ એક્ટર અને સિંગર હતો, જે પોતાનો ઓડિયો બિઝનેસ ચલાવતો હતો. કમનસીબે, આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2026 માં 65 વર્ષની વયે મુરલી કૃષ્ણનું પણ હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું.

Frequently Asked Questions

એસ. જાનકીનું નિધન ક્યારે અને ક્યાં થયું?

દિગ્ગજ પ્લેબેક સિંગર એસ. જાનકીનું 88 વર્ષની ઉંમરે શનિવારે મૈસુરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં દાખલ કરવામાં આવ્યા હતા.

એસ. જાનકીની કારકિર્દી કેટલી લાંબી હતી અને તેમણે કેટલા ગીતો ગાયા હતા?

એસ. જાનકીએ 60 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન 48,000 થી વધુ ગીતો ગાયા હતા. તેમણે હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં યોગદાન આપ્યું.

એસ. જાનકીએ પદ્મ ભૂષણ એવોર્ડ શા માટે લેવાનો ઇનકાર કર્યો હતો?

2013 માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરી, પરંતુ તેમણે ઇનકાર કર્યો. તેમનું કહેવું હતું કે સાઉથના કલાકારોને નેશનલ લેવલે બહુ મોડું સન્માન મળે છે.

એસ. જાનકીએ સંગીત જગતમાંથી ક્યારે નિવૃત્તિ લીધી?

લગભગ 6 દાયકા સુધી ગાયા પછી, તેમણે 2017 માં જાહેરાત કરી કે હવે તેઓ નવા ગીતો રેકોર્ડ નહીં કરે. મૈસુરમાં એક લાઈવ પ્રોગ્રામ આપીને તેમણે પોતાની કારકિર્દીનો અંત કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Ahmedabad News: અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું થયું મોત 
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Embed widget