શોધખોળ કરો
AAPના ઓડિટ રિપોર્ટ છે ખોટાઃ ઇનકમ ટેક્સ, ચૂંટણી પંચને પક્ષનો દરજ્જો પાછો ખેંચવા કહ્યું
1/3

અધિકારીઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો મળેલા ૨૭ કરોડ રૂપિયાના ડોનેશન અંગે વિસંગતતા જોવા મળી છે અને પક્ષના ખજાનચીએ કબૂલ્યું છે કે તેમના રેકોર્ડ્સમાં કેટલીક ભૂલ રહી ગઈ છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે પક્ષના રેકોર્ડમાં ટેક્સને લગતા કાયદાનો ભંગ જોવા મળ્યો છે. તેના આધારે આમ આદમી પાર્ટીને ટેક્સમાંથી મળતી મુક્તિ રદ થઈ શકે છે અને પક્ષ તરીકે તેની નોંધણી પણ રદ થઈ શકે છે.
2/3

રિપોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને ૨૦૧૩ ૧૪ અને ૨૦૧૪ ૧૫ દરમિયાન જે ડોનેશન મળ્યું તેમાં વિસંગતતા જોવા મળી છે. તેને ખરેખર જે ફંડ મળ્યું તેની સાથે આંકડા મળતા નથી. તમામ પક્ષો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સલાહ પરામર્શ કર્યા બાદ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતા હોય છે અને પછી આવકવેરા વિભાગમાં નિયમ મુજબ તેની કોપી સબમિટ કરાવે છે.
Published at : 04 Feb 2017 07:57 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















