સાર્કના હાલ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા એમ 8 સભ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉરીમાં 18 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે 2016માં આયોજિત સંમેલનમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો. અંતિમ સાર્ક શિખર સંમેલન 2014માં કાઠમંડુમાં યોજાયું હતું.
2/3
આ પહેલા 19મા સાર્ક શિખર સંમેલનનું આયોજન 2016માં પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. પરંતુ ભારત સહિત બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ લેવાનું ટાળતાં સંમેલન રદ કરવામાં આવ્યું હતું. અંતિમ સાર્ક સંમેલન 2014માં નેપાળમાં યોજાયું હતું.
3/3
નવી દિલ્હી/લાહોરઃ સાર્ક સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન આમંત્રણ મોકલશે. ડોન ન્યૂઝે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના માધ્યમથી આ જાણકારી આપી છે.