નવી દિલ્હીઃ કેરાલા સહિત દેશભરમાં વરસાદે કેર મચાવી દીધો છે, ભારે વરસાદ અને પુરે મચાવેલી તબાહીથી કેરાલામાં 187 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે આખા દેશની વાત કરીએ તો સાત રાજ્યોમાં કુલ 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેરાલામાં આવી પુરની સ્થિતિ ક્યારે પણ નથી બની, ઇડુક્કીના કરીમબન બ્રિઝની આસપાસના વિસ્તારોના તમામ ઘરો વરસાદમાં ધોવાઇ ગયા છે અને હજુ પણ કેટલાય ઘરો પાણીમાં ડુબેલા છે. અહીંની પેરિયાર નદી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે પુરની સ્થિતિ વધુ વિકટ બની છે.