શોધખોળ કરો
અમદાવાદ માટે માઠા સમાચારઃ કોરોનાથી મોતનો આંકડો 1 હજારને પાર, જાણો વિગત
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. અમદાવાદ જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાથી 1015 લોકોના મોત થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો આંક પણ વધારે છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. અમદાવાદ જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાથી 1015 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1249 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 480 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 30 દર્દીઓના મોત થયા છે. આજે 319 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 20 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,097 થઇ છે અને મૃત્યુઆંક 1249 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરતમાં 2 અને બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1249 લોકોનાં મોત થયા છે.
વધુ વાંચો





















