શોધખોળ કરો

Ahmedabad: સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં 2 શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી છે.  આ બંને શખ્સોએ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વખતે લોકોને ઘરમાં રહેવાની પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરી ધમકી આપી હતી.

અમદાવાદ:  અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી છે.  આ બંને શખ્સોએ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વખતે લોકોને ઘરમાં રહેવાની પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરી ધમકી આપી હતી.  નરેન્દ્ર અને રાહુલ નામના આ બંને શખ્શોએ મધ્ય પ્રદેશના સતનાથી ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો.  આરોપીઓએ આ માટે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પણ ઉભું કર્યું હતું.  આરોપીઓ પાસેથી 11 સીમ બોક્સ અને 168 સીમ કાર્ડ જપ્ત કરાયા છે. આ કેસમાં મુખ્ય આરોપી ગુરપતવંતસિંઘ પન્નૂ છે.  જે શીખ ફોર જસ્ટિસનો સંસ્થાપક છે.  ભારતે તેને વર્ષ 2020માં આતંકવાદી ઘોષિત કર્યો છે.  હાલ તે બ્રિટનનો નાગરિક છે. 

Gujarat Assembly: રાજયમાં બે વર્ષમાં સિંહ, દીપડાના કેટલા લોકોના મોત થયા ? કેટલી સહાય ચૂકવાઈ, જાણો વિગત

Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહો અને દીપડાઓ દ્વારા માનવીઓ પર કરવામાં આવેલા હુમલાના વિગતો રજૂ થઈ હતી. જે મુજબ સિંહો દ્વારા કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 7 માનવીના મૃત્યુ અને 40 લોકોને ઈજા થઈ હતી. દીપડા દ્વારા થયેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 27 લોકોના મુત્યુ અને 189 લોકોને ઈજા થઈ હતી.

કેટલી સહાચ ચૂકવાઈ

સિંહ દ્વારા થયેલા માનવ મુત્યુ બદલ 33 લાખની સહાય કરાઈ છે, જ્યારે ઈજા માટે 22 લાખ 74 હજારની કરાઈ ચુકવણી કરાઈ છે. જ્યારે દીપડાના કારણે થયેલા મૃત્યુના પરિણામે 1 કરોડ 20 લાખ ની સહાય અને ઈજાગ્રસ્તને 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

રાજ્ય સરકારે બે વર્ષમાં મહોત્સવ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ?

 

છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ પાછળ સરકાર કર્યો કરોડોનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો  અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો  છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિત સજાવટમાં કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો  અને અખબારમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.

મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત

પાટણમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે..મોટા ભાઈ અરવિંદના મોતના સમાચાર મળતા નાના ભાઇ દિનેશનું પણ આઘાતમાં મોત થયું. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ ચાલતા ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે.જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું.આ સમાચાર નાના ભાઇને મળતાં પહેલાં તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતાં કહે છે કે, 'કોઇ હિંમત ન હારતા...' પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે.અરવિંદભાઇના મૃતદેહની અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ બંનેની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.  

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : છેલ્લા 25 વર્ષથી ઉત્તર ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણે નથી ચડતી પતંગ, જાણો શું છે કારણ?Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલUttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો
Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
Embed widget