શોધખોળ કરો

નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના 5 દિવસના રિમાન્ડ થયા મંજૂર, જાણો વિગત

સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદ: હાથીજણ વિસ્તાર ખાતે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાંથી બે સંચાલિકાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાંજે બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે 5 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. પોલીસ 5 દિવસના રિમાંડ દરમ્યાન આશ્રમમાં સાધીકાઓની ભુમિકા અને આશ્રમમાં ચાલતી પ્રવૃતિઓ વિશે તપાસ કરશે. સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મોટી બાબત આ કેસના મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ પણ પોલીસ પકડથી ફરાર છે. જેથી સરકારના વકીલે રજૂઆત કરી હતી કે પોલીસને કોર્ટ 10 દિવસના રિમાન્ડ આપે પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. જને પગલે આજે સવારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. બી 107 નંબરના મકાનમાં બંને બાળકોના સામાન અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. આશ્રમમાંથી બાળકોને 10 દિવસ ઉપર આ મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલું છે. સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, ભોગ બનનાર બાળકોએ CWC તથા પોલીસ તપાસમાં આપેલ પોતાના નિવેદનમાં જણાવેલ છે કે, બાળકો પાસે બાળ મજુરી કરાવી માતબર રકમ તથા કિંમતી જમીન લઇ આપવાના ટાર્ગેટ આપવામાં આવે છે. બાળકો કામ ન કરે અને બાળકો તેમના વાલીને મળવાનું જણાવે ત્યારે બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવના શ્રાપના ડર બતાવે છે. નિત્યાનંદના આશ્રમ સાથે સંકળાયેલી નિત્યાનંદિતાએ શું કર્યો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિત રૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રતાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનું તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમના સંચાલીકામાં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી. બાળકોના નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિતરૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસના નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રાઓ ઉપર પ્રતિબંધ મુકીને તેમની ઇચ્છા વિરૂદ્ધ કોઇ રૂમ અથવા મકાનમાં બંધક બનાવ્યાનુ તપાસમાં જણાઇ આવેલ છે. આશ્રમમાં કોઇપણ રજા કે, વેકેશન કે, વાર તહેવારની રજા આપવામાં આવતા નથી. ભોગબનનાર બાળકના જણાવ્યા અનુસાર બાળકોને શિક્ષા કરવાની થાય ત્યારે શિક્ષાનો પ્રકાર અને કક્ષા આશ્રમની સંચાલિકા નક્કી કરતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget