શોધખોળ કરો

Akasa Air Crisis: 43 પાયલટના રાજીનામા બાદ 700 ફ્લાઇટ્સ થઇ શકે છે કેન્સલ, જાણો વિગત

અકાસા એરલાઇનના 43 પાયલોટે એકસાથે રાજીનામા ધરી દેતા મોટાભાગની તેની ફ્લાઇટસ રદ્દ થઇ શકે છે.જાણીએ શુ છે મામલો

Akasa Air Crisis: તાજેતરમાં શરૂ થયેલી અકાસા એર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. 43 પાઈલટોના રાજીનામા પછી એરલાઈન બંધ થઈ શકે છે, એરલાઈને મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી હતી. પાઇલટ્સના અચાનક રાજીનામાને કારણે સપ્ટેમ્બરમાં એરલાઇનને દરરોજ 24 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, એરલાઇનના વકીલે જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાને જણાવ્યું હતું કે પાઇલટ્સે છ મહિના (પ્રથમ અધિકારીઓ માટે) અને એક વર્ષ (પાયલોટ્સ માટે)નો ફરજિયાત નોટિસ પીરિયડ પૂર્ણ ન કર્યો હોવાથી, અકાસા એરને ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

ઉલ્લખનિય છે કે, અકાસાના પાઇલોટ્સ તેની પ્રતિદ્રંદ્ગી એરલાઇનમાં જોડાઇ ગયા છે.  એક ટોચના એક્ઝિક્યુટિવે હરીફ જૂથને પત્ર લખીને પાઇલટ્સના વોકઆઉટ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ ઘટનાને અનૈતિક ગણાવી છે,

અકાસા એર, જે દરરોજ 120 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જો રાજીનામાનો દૌર ચાલુ રહ્યો તો એકલા આ મહિનામાં 600-700 ફ્લાઇટ્સ રદ થવાની ફરજ પડી શકે છે.  તેણે ઓગસ્ટમાં 700 ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈને કોર્ટને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ફરજિયાત નોટિસ પિરિયડ નિયમો લાગુ કરવાનો અધિકાર આપવા માટે પણ અનુરોધ કર્યો છે.

એરલાઇન કથિત રીતે પાઇલોટ સામે શિક્ષાત્મક પગલાંની માંગ કરી રહી છે અને ફ્લાઇટ્સ રદ અને ગ્રાઉન્ડિંગને કારણે આવકના નુકસાન માટે વળતર તરીકે આશરે રૂ. 22 કરોડની માંગ કરી રહી છે.

ગયા અઠવાડિયે, એરલાઇન્સે કહ્યું હતું કે, તે પાઇલોટ્સ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી રહી છે જેઓ તેમના કરારની સૂચનાની અવધિ પૂર્ણ કર્યા વિના નીકળી ગયા હતા. અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમે માત્ર પાઇલટ્સના એક નાના જૂથ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે કે,  જેમણે નોટિસ પિરિયડ્સને પણ પૂર્ણ કર્યો વિના જ રાજીનામું આપીને ફરજ પરથી જતાં રહ્યાં છે.  અકાસાના પ્રવક્તાએ કહ્યું કે, આ નાગરિક ઉડ્ડયન નિયમનનું પણ ઉલ્લંઘન છે અને  આ માત્ર કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર નથી પણ એક અનૈતિક અને સ્વાર્થી કૃત્ય પણ છે, જેણે ઓગસ્ટમાં ફ્લાઈટ્સને વિક્ષેપિત કરી હતી, જેના કારણે છેલ્લી ઘડીએ કેન્સલેશન થયું હતું, હજારો ગ્રાહકો ફસાઈ ગયા હતા, જેના કારણે પ્રવાસી જનતાને ભારે અસુવિધા થઈ હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget