(રવિ કાંત, એબીપી ન્યૂઝ)


Russia Ukraine War:  એર ઈન્ડિયાએ તેની દિલ્હીથી મોસ્કોની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. પહેલેથી જ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ રશિયન દૂતાવાસને કહ્યું છે કે તે રદ કરાયેલી ફ્લાઈટ્સના મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપશે. રશિયાના આકાશમાં અને તેની આસપાસ થઈ રહેલી ગતિવિધિઓને કારણે ત્યાંના પ્રવાસીઓ માટે ખતરો છે.


રશિયન સ્કાયમાં જોખમની ધારણાને ધ્યાનમાં રાખીને, આંતરરાષ્ટ્રીય વીમા એજન્સીઓએ મોસ્કોથી અથવા ત્યાંથી આવતી ફ્લાઇટ્સ પર વીમો આપવાનો ઇનકાર કર્યો છે, તેથી એર ઇન્ડિયાએ તેની મોસ્કો ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.


એર ઈન્ડિયાની મોસ્કો માટે અઠવાડિયામાં બે ફ્લાઈટ


અત્યાર સુધી એક સપ્તાહમાં એર ઈન્ડિયાની બે ફ્લાઈટ દિલ્હીથી મોસ્કો જતી હતી. એર ઈન્ડિયાએ રશિયન એમ્બેસીને જાણ કરી છે કે તે તમામ મુસાફરોને તેમની ટિકિટનું રિફંડ આપશે. હાલમાં, એર ઈન્ડિયાએ એબીપી ન્યૂઝના પ્રશ્ન પર ફ્લાઈટ્સ સ્થગિત કરવા પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.


મોસ્કો માટે ઉપલબ્ધ ટ્રાંઝિસ્ટ રૂટ


વર્તમાન પરિસ્થિતિમાં, મોસ્કો પહોંચવા માટે ટ્રાંઝિસ્ટ ઉપયોગ કરી શકાય છે, જેના માટે મુસાફરોએ તાશ્કંદ, ઈસ્તંબુલ, દુબઈ, અબુ ધાબી, દોહા અને અન્ય દેશો થઈને મોસ્કો અને દિલ્હી વચ્ચે મુસાફરી કરવી પડશે.


આ પણ વાંચોઃ


Coronavirus: આ દેશમાં કોરોનાએ મચાવ્યો તરખાટ, 5 થી 11 વર્ષના બાળકોને બનાવી રહ્યો છે શિકાર


MG Motors: MG મોટર્સે ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી થઈ લોકપ્રિય કાર


NEET 2022 Date: નીટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, આ તારીખ સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન


Pakistan: ઈમરાન ખાનના રાજમાં બુશરા બીબીની બહેનપણી થઈ માલામાલ! ચારગણી વધી સંપત્તિ


China Corona Cases: આ દેશમાં Lockdown પાલન કરવા કપલ્સને કિસ ન કરવાની કરાઈ અપીલ, જાણો વિગત


I-Khedut: સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો સહાય માટે કરો અરજી, ખૂલ્યું છે આઈ ખેડૂત પોર્ટલ