શોધખોળ કરો

નોકરિયાત વર્ગને મોટી રાહત, સરકારે PFના વ્યાજ દર નક્કી કર્યા, જાણો કેટલો ફાયદો થશે

6.5 કરોડ લોકોને આ નિર્ણયનો લાભ મળશે. જો કે હવે આ ભલામણો નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.

પ્રોવિડન્ડ ફંડ મેળવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. EPFO એટલે કે એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઑર્ગેનાઈઝેશને ચાલુ નાણાંકીય વર્ષ માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. ચાલુ નાણાંકીય વર્ષે પણ પણ પીએફ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજ મળશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો જે એક પ્રકારથી રાહત છે. કારણ કે કોરોનાના કારણે વ્યાજદરમાં ઘટાડો થશે તેવી શક્યતા હતી. મહત્વનું છે કે, PF પર વ્યાજદર પહેલેથી જ 7 વર્ષની નીચલી સપાટી પર છે. શ્રીનગરમાં ગઈકાલે ઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2018-19માં આ દર 8.65 ટકા હતો. બોર્ડે અગાઉ કહ્યું હતું કે તે ૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ ચૂકવશે. 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેંટ દ્વારા ચૂકવવામાં આવશે અને ઇક્વિટીમાંથી 5.55 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડની બેઠકમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. સમિતિએ ઇપીએફઓના વિવિધ સ્રોતોમાં કરેલા રોકાણ, તેના પર મળેલા વળતર અને કોવિડના પ્રભાવને આધારે વ્યાજ દર માટે સમીક્ષા અહેવાલ રજૂ કર્યો હતો. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ સહાયક કમિશનર એકે શુક્લાના જણાવ્યા અનુસાર, 6.5 કરોડ લોકોને આ નિર્ણયનો લાભ મળશે. જો કે હવે આ ભલામણો નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. જો મંત્રાલય તેમને સ્વીકારે તો તેની સૂચના જારી કરવામાં આવશે. જો નહીં, તો આ ભલામણો ફરીથી સીબીટી બોર્ડને મોકલવામાં આવશે. આ પછી, બોર્ડ તેની પર ફરીથી વિચાર કરશે અને નાણાં મંત્રાલયને મોકલશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
Embed widget