શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

water fuel technology: મોનાકોની 'FOWE' કંપનીનો દાવો: નવી ટેકનોલોજીથી ઈંધણમાં 10% સુધીનો બચાવ થશે, ભારત માટે સાબિત થશે આશીર્વાદરૂપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણી ભેળવીને ઈંધણ બચાવતી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી.
  • આ ટેકનોલોજી ૧૦% સુધી ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડે છે.
  • ભારત માટે ફાયદાકારક, ઈંધણ આયાત ખર્ચમાં ઘટાડો શક્ય.
  • મોટા ઔદ્યોગિક એકમોમાં પરીક્ષણ, ભવિષ્યમાં સામાન્ય વાહનોમાં ઉપયોગ શક્ય.

water fuel technology: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને ઈંધણની અછત વચ્ચે એક વિદેશી કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે. મોનાકો સ્થિત 'FOWE ઇકો સોલ્યુશન્સ' નામની કંપની એક એવી નવી ટેકનોલોજી લાવી છે, જેમાં પાણીનો ઉપયોગ કરીને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) નો વપરાશ 10% સુધી ઘટાડી શકાશે. ભારત માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા છે, કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો વાહનો અને ઉદ્યોગોમાં બળતણનો ખર્ચ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે.

ભારત માટે આ ટેકનોલોજી કેમ છે ખાસ?

ભારત અત્યારે પોતાની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઇલ બીજા દેશોમાંથી મંગાવે છે. જેના કારણે દેશના વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અવારનવાર ઈંધણ બચાવવા પર ભાર મુકતા રહ્યા છે. આવા સમયે જો આ ટેકનોલોજી ભારતમાં વ્યાપકપણે સફળ થાય, તો રૂપિયાની કિંમત પર સકારાત્મક અસર પડશે અને આયાત બિલમાં મોટો ઘટાડો નોંધાશે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

કંપનીના જણાવ્યા મુજબ, તેમણે "કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન" (Cavitech Fuel Emulsion) નામની પેટન્ટ ટેકનોલોજી બનાવી છે.

આ ટેકનોલોજી એક અનોખી રીતે ઈંધણ અને પાણીને મિક્સ કરે છે.

આ પ્રક્રિયામાં ઈંધણની અંદર પાણીના બારીક ટીપાં બની જાય છે.

જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે તે નાના કણોમાં "માઇક્રો-વિસ્ફોટ" (Micro-explosion) કરે છે.

આનાથી ઈંધણ સંપૂર્ણ રીતે અને વધુ સારી રીતે સળગે છે, પરિણામે ઈંધણ ઓછું વપરાય છે અને ધુમાડો પણ ઓછો નીકળે છે. સૌથી સારી વાત એ છે કે આ માટે મશીન કે એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર પડતી નથી અને મશીન ચાલુ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા

કેટલો ફાયદો થશે અને પ્રદૂષણમાં કેટલો ઘટાડો?

કંપનીના દાવા અને કેટલાક સ્વતંત્ર ટેસ્ટિંગના રિપોર્ટ મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાયું છે. ભારતમાં પણ કેટલીક રિફાઇનરીઓ અને સ્ટીલ પ્લાન્ટમાં આના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 3.6% થી 6% સુધીની બચત જોવા મળી છે.

એટલું જ નહીં, FOWE કંપનીનું કહેવું છે કે આનાથી હાનિકારક વાયુઓ જેવા કે NOx અને SOx નું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. આ ટેકનોલોજી મશીનોની અંદર જમા થતો કચરો ઘટાડે છે, જેનાથી ભવિષ્યમાં મેન્ટેનન્સનો ખર્ચ પણ બચી જાય છે.

સામાન્ય વાહનોમાં ક્યારે આવશે?

હાલ પૂરતી આ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય કાર કે બાઈકમાં શરૂ થયો નથી. અત્યારે તેનું ટેસ્ટિંગ મોટા ઔદ્યોગિક એકમો, મોટા જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતું મર્યાદિત છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, જો ઔદ્યોગિક સ્તરે આ પ્રયોગ સફળ રહ્યો, તો આવનારા સમયમાં આપણા રોજિંદા વાહનોમાં પણ આ ટેકનોલોજી જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹3 મોંઘુ થાય તો શું? ટેન્શન છોડો, ₹5 લાખના બજેટમાં આ કાર્સ આપશે બેસ્ટ માઈલેજ

Frequently Asked Questions

પાણીનો ઉપયોગ કરીને ઈંધણની બચત કરતી આ નવી ટેકનોલોજી શું છે?

મોનાકો સ્થિત FOWE ઇકો સોલ્યુશન્સ કંપની 'કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન' નામની ટેકનોલોજી વિકસાવી રહી છે. આ ટેકનોલોજી પાણીને ઈંધણમાં એવી રીતે મિક્સ કરે છે કે ઈંધણ વધુ સારી રીતે બળી શકે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

આ ટેકનોલોજી ઈંધણની અંદર પાણીના અત્યંત બારીક ટીપાં બનાવે છે. જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે નાના કણોમાં 'માઇક્રો-વિસ્ફોટ' થાય છે, જેનાથી ઈંધણ સંપૂર્ણપણે બળીને ઓછું વપરાય છે.

આ ટેકનોલોજીથી કેટલું ઈંધણ બચી શકે છે?

કંપનીના દાવા મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાય છે. ભારતમાં થયેલા ટેસ્ટિંગમાં 3.6% થી 6% ની બચત જોવા મળી છે.

શું આ ટેકનોલોજી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ થશે?

હા, FOWE કંપનીના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજીથી NOx અને SOx જેવા હાનિકારક વાયુઓનું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. તે મશીનોમાં જમા થતો કચરો પણ ઘટાડે છે.

શું આ ટેકનોલોજી સામાન્ય વાહનોમાં પણ ઉપયોગમાં લેવાશે?

હાલમાં આ ટેકનોલોજી મોટા ઔદ્યોગિક એકમો, જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતી મર્યાદિત છે. નિષ્ણાતો માને છે કે જો ઔદ્યોગિક સ્તરે સફળતા મળે તો ભવિષ્યમાં રોજિંદા વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget