શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

water fuel technology: મોનાકોની 'FOWE' કંપનીનો દાવો: નવી ટેકનોલોજીથી ઈંધણમાં 10% સુધીનો બચાવ થશે, ભારત માટે સાબિત થશે આશીર્વાદરૂપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણી ભેળવીને ઈંધણ બચાવતી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી.
  • આ ટેકનોલોજી ૧૦% સુધી ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડે છે.
  • ભારત માટે ફાયદાકારક, ઈંધણ આયાત ખર્ચમાં ઘટાડો શક્ય.
  • મોટા ઔદ્યોગિક એકમોમાં પરીક્ષણ, ભવિષ્યમાં સામાન્ય વાહનોમાં ઉપયોગ શક્ય.

water fuel technology: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને ઈંધણની અછત વચ્ચે એક વિદેશી કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે. મોનાકો સ્થિત 'FOWE ઇકો સોલ્યુશન્સ' નામની કંપની એક એવી નવી ટેકનોલોજી લાવી છે, જેમાં પાણીનો ઉપયોગ કરીને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) નો વપરાશ 10% સુધી ઘટાડી શકાશે. ભારત માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા છે, કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો વાહનો અને ઉદ્યોગોમાં બળતણનો ખર્ચ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે.

ભારત માટે આ ટેકનોલોજી કેમ છે ખાસ?

ભારત અત્યારે પોતાની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઇલ બીજા દેશોમાંથી મંગાવે છે. જેના કારણે દેશના વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અવારનવાર ઈંધણ બચાવવા પર ભાર મુકતા રહ્યા છે. આવા સમયે જો આ ટેકનોલોજી ભારતમાં વ્યાપકપણે સફળ થાય, તો રૂપિયાની કિંમત પર સકારાત્મક અસર પડશે અને આયાત બિલમાં મોટો ઘટાડો નોંધાશે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

કંપનીના જણાવ્યા મુજબ, તેમણે "કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન" (Cavitech Fuel Emulsion) નામની પેટન્ટ ટેકનોલોજી બનાવી છે.

આ ટેકનોલોજી એક અનોખી રીતે ઈંધણ અને પાણીને મિક્સ કરે છે.

આ પ્રક્રિયામાં ઈંધણની અંદર પાણીના બારીક ટીપાં બની જાય છે.

જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે તે નાના કણોમાં "માઇક્રો-વિસ્ફોટ" (Micro-explosion) કરે છે.

આનાથી ઈંધણ સંપૂર્ણ રીતે અને વધુ સારી રીતે સળગે છે, પરિણામે ઈંધણ ઓછું વપરાય છે અને ધુમાડો પણ ઓછો નીકળે છે. સૌથી સારી વાત એ છે કે આ માટે મશીન કે એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર પડતી નથી અને મશીન ચાલુ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા

કેટલો ફાયદો થશે અને પ્રદૂષણમાં કેટલો ઘટાડો?

કંપનીના દાવા અને કેટલાક સ્વતંત્ર ટેસ્ટિંગના રિપોર્ટ મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાયું છે. ભારતમાં પણ કેટલીક રિફાઇનરીઓ અને સ્ટીલ પ્લાન્ટમાં આના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 3.6% થી 6% સુધીની બચત જોવા મળી છે.

એટલું જ નહીં, FOWE કંપનીનું કહેવું છે કે આનાથી હાનિકારક વાયુઓ જેવા કે NOx અને SOx નું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. આ ટેકનોલોજી મશીનોની અંદર જમા થતો કચરો ઘટાડે છે, જેનાથી ભવિષ્યમાં મેન્ટેનન્સનો ખર્ચ પણ બચી જાય છે.

સામાન્ય વાહનોમાં ક્યારે આવશે?

હાલ પૂરતી આ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય કાર કે બાઈકમાં શરૂ થયો નથી. અત્યારે તેનું ટેસ્ટિંગ મોટા ઔદ્યોગિક એકમો, મોટા જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતું મર્યાદિત છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, જો ઔદ્યોગિક સ્તરે આ પ્રયોગ સફળ રહ્યો, તો આવનારા સમયમાં આપણા રોજિંદા વાહનોમાં પણ આ ટેકનોલોજી જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹3 મોંઘુ થાય તો શું? ટેન્શન છોડો, ₹5 લાખના બજેટમાં આ કાર્સ આપશે બેસ્ટ માઈલેજ

Frequently Asked Questions

પાણીનો ઉપયોગ કરીને ઈંધણની બચત કરતી આ નવી ટેકનોલોજી શું છે?

મોનાકો સ્થિત FOWE ઇકો સોલ્યુશન્સ કંપની 'કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન' નામની ટેકનોલોજી વિકસાવી રહી છે. આ ટેકનોલોજી પાણીને ઈંધણમાં એવી રીતે મિક્સ કરે છે કે ઈંધણ વધુ સારી રીતે બળી શકે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

આ ટેકનોલોજી ઈંધણની અંદર પાણીના અત્યંત બારીક ટીપાં બનાવે છે. જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે નાના કણોમાં 'માઇક્રો-વિસ્ફોટ' થાય છે, જેનાથી ઈંધણ સંપૂર્ણપણે બળીને ઓછું વપરાય છે.

આ ટેકનોલોજીથી કેટલું ઈંધણ બચી શકે છે?

કંપનીના દાવા મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાય છે. ભારતમાં થયેલા ટેસ્ટિંગમાં 3.6% થી 6% ની બચત જોવા મળી છે.

શું આ ટેકનોલોજી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ થશે?

હા, FOWE કંપનીના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજીથી NOx અને SOx જેવા હાનિકારક વાયુઓનું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. તે મશીનોમાં જમા થતો કચરો પણ ઘટાડે છે.

શું આ ટેકનોલોજી સામાન્ય વાહનોમાં પણ ઉપયોગમાં લેવાશે?

હાલમાં આ ટેકનોલોજી મોટા ઔદ્યોગિક એકમો, જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતી મર્યાદિત છે. નિષ્ણાતો માને છે કે જો ઔદ્યોગિક સ્તરે સફળતા મળે તો ભવિષ્યમાં રોજિંદા વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget