![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhavnagar : 34 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?
ભાવનગર તાલુકાનાં સિહોરમાં આવેલ ખારાકુવા વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.
![Bhavnagar : 34 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા? Bhavnagar : 34 year old woman murder in Bhavnagar , police start inquiry Bhavnagar : 34 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/09/8f80af6ea714991e9f11bb3fb0bf1386_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગરઃ ભાવનગર તાલુકાનાં સિહોરમાં આવેલ ખારાકુવા વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. સમગ્ર બનાવને લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. બેલાબેન હર્ષદભાઈ શાહ (ઉંમર વર્ષ 34) નામની પરણિતાની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવતીને એક બાળક પણ છે. હાલ હત્યા અંગેના બનાવમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.
Mehsana : 19 વર્ષીય પરિણીતાની ફરિયાદ, દિયર પાછળથી પકડી અડપલા કરે છે, પતિએ પરાણે ગર્ભપાત કરાવી દીધો
મહેસાણાઃ મહેસાણાની 19 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમ લગ્ન કર્યા બાદ સસરિયાએ 5 લાખ ની માગણી કરી ત્રાસ ગુજાર્યો હતો. તો દિયરે યુવતીને પાછળથી પકડીને અડપલાં કર્યા. પતિએ મારઝૂડ કરી બળજબરી પૂર્વક ગર્ભપાત કરાવી દીધો હોવાની યુવતીએ ફરિયાદ કરી છે. પતિ,દિયર અને સાસરિયા સામે છેડતી અને ત્રાસ ગુજારવા બાબતે ફરિયાદ કરી છે.
દારૂના નશામાં ધૂત અમદાવાદની મહિલાએ આણંદના મંદિરમાં દારૂ છાંટતા મચી ગયો હંગામો, પૂજારીએ કરી પોલીસ ફરિયાદ
અમદાવાદઃ શહેરના ઈશનપુરમાં રહેતી મહિલાએ આણંદમાં આવેલ મંદિરમાં દારુ છાંટ્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. નશામાં ધૂત મહિલાએ દાવોલ ગામે આવેલ ખોડીયાર માતા મંદિરમાં દારૂ છાંટ્યો હતો. મંદિરના પુજારીએ મહિલા વિરુદ્ધ બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો દારૂ છાંટતો વીડિયો પણ વાયરલ થયો છે.
આ મહિલાએ અગાઉ કરણી સેનાના પૂર્વ ગુજરાત પ્રમુખ રોનક ગોહિલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં અને મહિલા પશ્ચિમમાં ફરિયાદ નોંધાવી હતી.
મુંબઈથી રાપર જઈ રહેલા કચ્છી પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી
મોરબીઃ હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.
કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)