શોધખોળ કરો

કોરોનાની કેવી છે સ્થિતિ? ગુજરાતમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા કયા જિલ્લા છે? જાણો

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસે ને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક 50 હજારની નજીક પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસે ને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક 50 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 998 નવા કેસ નોંધાયા જેની સાથે જ કુલ કેસનો આંક 49 હજાર 439 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 20ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુ આંક 2 હજાર 167 થયો છે. રાજ્યમાંથી 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લાઓમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ભાવનગરમાં કોરોનાના કુલ કેસ હવે 955 છે તો જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હોય તેમાં હવે છોટા ઉદેપુર પણ સામેલ છે. જોકે ડાંગ, પોરબંદર, દ્વારકા, તાપી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 100 સુધી પહોંચ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35 હજાર 659 થયો છે. રાજ્યમાં હાલ 11 હજાર 613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 178 - અમદાવાદ ગ્રામ્યમાં 15 એમ કુલ 193 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસનો આંક એક દિવસમાં જ 200થી નીચે આવી ગયો છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસ 24,568 છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 60-ગ્રામ્યમાં 18 એમ કુલ 78, રાજકોટ શહેરમાં 40-ગ્રામ્યમાં 16 કુલ 56, ભાવનગર શહેરમાં 26-ગ્રામ્યમાં 16 કુલ 42, ગાંધીનગર શહેરમાં 8- ગ્રામ્યમાં 12 કુલ 20, મહેસાણામાં 26 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુ આંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35,659 થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget