શોધખોળ કરો

કોરોનાની કેવી છે સ્થિતિ? ગુજરાતમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા કયા જિલ્લા છે? જાણો

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસે ને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક 50 હજારની નજીક પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસે ને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક 50 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 998 નવા કેસ નોંધાયા જેની સાથે જ કુલ કેસનો આંક 49 હજાર 439 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 20ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુ આંક 2 હજાર 167 થયો છે. રાજ્યમાંથી 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લાઓમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ભાવનગરમાં કોરોનાના કુલ કેસ હવે 955 છે તો જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હોય તેમાં હવે છોટા ઉદેપુર પણ સામેલ છે. જોકે ડાંગ, પોરબંદર, દ્વારકા, તાપી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 100 સુધી પહોંચ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35 હજાર 659 થયો છે. રાજ્યમાં હાલ 11 હજાર 613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 178 - અમદાવાદ ગ્રામ્યમાં 15 એમ કુલ 193 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસનો આંક એક દિવસમાં જ 200થી નીચે આવી ગયો છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસ 24,568 છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 60-ગ્રામ્યમાં 18 એમ કુલ 78, રાજકોટ શહેરમાં 40-ગ્રામ્યમાં 16 કુલ 56, ભાવનગર શહેરમાં 26-ગ્રામ્યમાં 16 કુલ 42, ગાંધીનગર શહેરમાં 8- ગ્રામ્યમાં 12 કુલ 20, મહેસાણામાં 26 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુ આંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35,659 થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget