શોધખોળ કરો

કોરોના સંકટના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન, આ બે રાજ્યોમાં 7 જૂન સુધી પ્રતિબંધો લંબાવાયા

દેશમાં કોરોના વાયરસનું સંકટ હાલ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. દરોરજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકોના આ વાયરસના કારણે જીવ પણ જઈ રહ્યા છે. તેની વચ્ચે ઘણા રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. 

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંકટ હાલ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. દરોરજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકોના આ વાયરસના કારણે જીવ પણ જઈ રહ્યા છે. તેની વચ્ચે ઘણા રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. 

કોરોના વાયરસના સંકટને રોકવા માટે ગોવા સરકારે કર્ફ્યૂ 7 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ગોવામાં કોરોના વાયરસને લઈ સાત જૂન સવારે સાત વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સાત જૂન સુધી પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે. 

ગોવામાં અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે રસીકરણ ઉત્સવથી તેને લાભાર્થીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવામાં મદદ મળી છે. ગોવાની જનસંખ્યા 16 લાખ છે અને છેલ્લા એક મહિનામાં કોવિડ 19ના કેસમાં સતત વધારો થયો છે. 

સરકારી આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી પાંચ લાખ લોકોને રસી (બીજી ડોઝ સહિત)અપાઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે રસીકરણ ઉત્સવ 2ને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ અમે આમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવા માંગીએ છીએ.  

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.

 

ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત

 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget