Maharashtra Political Crisis : ઉદ્ધવ કેબિનેટની બેઠક , મીટિંગ પૂરી થયા પહેલા જ બે ધારાસભ્યો નીકળ્યા બહાર
Maharashtra Political Crisis Live: શિવસેનાના ધારાસભ્યોના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધી ગયું છે.

Background
Maharashtra Political Crisis Live: શિવસેનાના ધારાસભ્યોના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધી ગયું છે. બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે બપોરે દિલ્હી આવ્યા હતા. અહીંથી તેઓ સાંજે પાછા મુંબઈ પહોંચ્યા, ત્યારબાદ તેઓ ગવર્નર હાઉસમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સામે ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી છે.
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક બુધવારે મળશે. આ બેઠક બપોરે યોજાશે. મંગળવારે રાજ્ય કેબિનેટની બેઠક પણ મળી હતી. બેઠક બાદ શિવસેનાના નેતા અને મંત્રી અનિલે કહ્યું કે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવું જોઈએ, આ માંગ કેબિનેટમાં કરવામાં આવી છે. આ પ્રસ્તાવ બુધવારે કેબિનેટમાં લાવવામાં આવશે. આ અંગે કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે મંગળવારે કેબિનેટમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવા પર કોઈ ચર્ચા થઈ નથી.
અમે બળવાખોર નથીઃ શિંદે
એકનાથ શિંદેએ કહ્યું, અમે બળવાખોર નથી. અમે શિવસેના છીએ.
We are not rebels. We are Shiv Sena. We are carrying forward the agenda and ideology of Balasaheb Thackeray's Shiv Sena. We will work for the Hindutva ideology and development of the state: Eknath Shinde, at Guwahati airport#MaharashtraPoliticalCrisis pic.twitter.com/RGMdJ75dQV
— ANI (@ANI) June 29, 2022
બળવાખોર ધારાસભ્યોને મત આપવા દેવાથી લોકશાહીના મૂળ કપાઈ જશેઃ સિંઘવી
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને મત આપવા દેવાથી લોકશાહીના મૂળ કપાશે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે કેબિનેટની સલાહ લીધી ન હતી. ઉતાવળે નિર્ણય કર્યો. જ્યારે કોર્ટે સુનાવણી 11મી જુલાઈ પર મુલતવી રાખી છે ત્યારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું.
Sunil Prabhu's lawyer submitted that this Court is considering the validity of the disqualification proceedings and has kept the matter for hearing on 11.07.2022. The issue of disqualification is directly connected/interlinked with the issue of Floor Test.
— ANI (@ANI) June 29, 2022





















