Maharashtra Political Crisis LIVE: NCPનો દાવો અમે સાથે છીએ, શું શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચાવશે?
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને તેમના જ ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે

Background
Breaking News LIVE 24 June Updates: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને તેમના જ ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીના નેતા એકનાથ શિંદેના સમર્થનમા 40 થી વધુ ધારાસભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. જોકે, અંત સુધી ધારાસભ્યોને સમજાવીને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર મામલે છેલ્લા ચાર દિવસથી રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે.
આજે સાંજે શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક
અજિત પવારે કહ્યું કે અમારી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન સીએમ તરીકે તેમની (ઉદ્ધવ ઠાકરે) સાથે છે. આજે સાંજે શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાશે. આજની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેશે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વારંવાર કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ શરદ પવારનો સૌથી મોટો હાથ છે.
શિવસેનાના કાર્યકર્તાઓએ શિંદેનો વિરોધ કર્યો
#WATCH Shiv Sena supporters throw black ink and eggs at a poster showing a picture of rebel MLA Eknath Shinde, also raise slogans against him, in Nashik pic.twitter.com/DUtKE2R2S5
— ANI (@ANI) June 24, 2022





















