શોધખોળ કરો

Congress President Election: મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ લીધો નિર્ણય

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે

Congress President Election: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ ખડગેએ કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસના ‘એક નેતા એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે. ખડગેએ પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. એટલે કે કોઈપણ નેતાએ બીજું પદ સંભાળતા પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ખડગેએ શુક્રવારે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે તિરુવંતપુરથી સાંસદ શશિ થરૂર અને ઝારખંડના નેતા કેએન ત્રિપાઠી છે. ચૂંટણી જીત્યા પહેલા જ ખડગેએ પદ છોડી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.

ખડગે કોંગ્રેસના આગામી અધ્યક્ષ બની શકે છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. ખડગેએ 30 સપ્ટેમ્બરે પોતાનું નામાંકન ભર્યું હતું, ત્યાર બાદ હવે ચૂંટણી 17 ઓક્ટોબરે થશે અને પરિણામ 19 ઓક્ટોબરે આવશે. ખડગેની ટક્કર કોંગ્રેસના નેતા શશિ થરૂર સામે થશે. જો કે ખડગેની પાછળ ગાંધી પરિવારનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેથી જ તેમની જીતની શક્યતા સૌથી વધુ છે. જ્યારે તેમણે નામાંકન કર્યું ત્યારે તેમની સાથે 30 પ્રસ્તાવકો હાજર હતા.

કોંગ્રેસ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોને જોવા માંગે છે?

વાસ્તવમાં પાર્ટી સમક્ષ પડકાર એ છે કે દક્ષિણ અને ઉત્તર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. જો આપણે વરિષ્ઠતા પર નજર કરીએ તો પી ચિદમ્બરમ રાજ્યસભામાં સૌથી વરિષ્ઠ નેતા છે. તેમના પછી દિગ્વિજય સિંહનું નામ આવે છે. દિગ્વિજય સિંહ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર હતા. જોકે, છેલ્લી ઘડીએ તેઓ પાછા હટી ગયા અને ખડગેને સમર્થન જાહેર કર્યું.

કોંગ્રેસની આ ચૂંટણીમાં ગાંધી પરિવાર મેદાનમાં નથી, પરંતુ સત્ય એ પણ છે કે ગાંધી પરિવારની પસંદગી કામ કરશે. નોમિનેશનના છેલ્લા દિવસે ગાંધી પરિવારના વિશ્વાસુ મલ્લિકાર્જુન ખડગેએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. ગુરુવારે મોડી રાત સુધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે બેઠક થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget