શોધખોળ કરો

ભારત માતાને 'દેવી' કહીએ તો ધર્મ વચ્ચે આવે છે! ઓવૈસીએ વંદે માતરમ ગાવા પર કેમ ઉઠાવ્યો વાંધો?

Asaduddin Owaisi: સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં ‘વંદે માતરમ’ ગીતને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે.

Asaduddin Owaisi Vande Mataram speech parliament: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના તીખા તેવર દાખવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દેશભક્તિ અને ધર્મને એકબીજા સાથે ભેળવવા ન જોઈએ. ઓવૈસીએ સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, "અમારી પાસેથી વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો." તેમણે ચેતવણી આપી હતી કે જો એક જ પ્રકારના ફૂલ (વિચારધારા) નો આગ્રહ રાખવામાં આવશે, તો માળી જલ્લાદ બની જશે.

દેશ અને ધર્મનું મિશ્રણ લોકશાહી માટે યોગ્ય નથી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં ‘વંદે માતરમ’ ગીતને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ચર્ચામાં ઝુકાવ્યું હતું. ઓવૈસીએ પાયાનો પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, "જ્યારે આપણે ભારત માતાને 'દેવી' તરીકે સંબોધીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ તેમાં ધર્મને દાખલ કરી દઈએ છીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની આઝાદી અને અખંડિતતા એટલા માટે જ સચવાઈ રહી છે કારણ કે આપણે ક્યારેય દેશ અને ધર્મને એકબીજામાં ભેળવ્યા નથી.

‘માળી અને જલ્લાદ’ નું ઉદાહરણ આપી સાધ્યું નિશાન

પોતાની વાતને વધુ અસરકારક બનાવવા માટે ઓવૈસીએ એક રૂપક (Metaphor) નો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, "જો કોઈ બગીચાનો માળી એવી જીદ પકડે કે બગીચામાં માત્ર એક જ પ્રકારનું ફૂલ ઉગશે, તો તે માળી મટીને 'જલ્લાદ' બની જશે." ભારતની વિવિધતા તરફ ઈશારો કરતા તેમણે સરકારને કહ્યું કે અમારી પાસે વફાદારીના પુરાવા માંગવાનું બંધ કરો. જે લોકો આજે દેશભક્તિના પાઠ ભણાવે છે, તેમણે પોતાના વડવાઓ દ્વારા લખાયેલા પુસ્તકો વાંચવા જોઈએ.

વંદે માતરમને વફાદારીની કસોટી ન બનાવો

AIMIM ચીફે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ‘વંદે માતરમ’ ને દેશભક્તિ કે વફાદારી સાબિત કરવાનો માપદંડ બનાવવામાં આવશે, તો તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાશે. તેમણે કહ્યું કે, "આવું કરવાથી આપણે ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ અને બાબા સાહેબ આંબેડકરના વિચારોને તિલાંજલિ આપીને ગોડસેની વિચારધારા અપનાવી રહ્યા છીએ તેવું સાબિત થશે." સરકાર બળજબરીપૂર્વક કોઈની પાસે આ ગીત ગવડાવી ન શકે, તે બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે.

‘ઈસ્લામ અને દેશપ્રેમ એકબીજાના વિરોધી નથી’

ઓવૈસીએ પોતાના ભાષણમાં મુસ્લિમ સમાજની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મારો ધર્મ ઈસ્લામ અને મારો દેશપ્રેમ ક્યારેય એકબીજાના રસ્તામાં નથી આવતા. હું મુસ્લિમ છું અને દેશને પ્રેમ કરું છું, આ બંને બાબતો સાથે ચાલી શકે છે." તેમણે ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે જે લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ જ નથી લીધો, તેમના મોઢે દેશપ્રેમની વાતો શોભતી નથી. તેમણે 28 ડિસેમ્બરના 'ઓર્ગેનાઈઝર' મેગેઝિનના લેખનો સંદર્ભ આપીને પૂછ્યું કે તમને 'જન ગણ મન' સામે આટલી નારાજગી કેમ છે?

આઝાદીનું સૂત્ર હતું, પણ બળજબરી ન ચાલે

અંતમાં ઓવૈસીએ સ્વીકાર્યું હતું કે આઝાદીના સમયે વંદે માતરમ એક ક્રાંતિકારી સૂત્ર હતું અને તેને તેઓ જાણે છે. પરંતુ વર્તમાન સમયમાં જો સરકાર તેને થોપવાનો પ્રયાસ કરશે તો તે સ્વીકાર્ય નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર આ બાબતે બળપ્રયોગ નહીં કરે અને બંધારણીય મૂલ્યોનું જતન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget