શોધખોળ કરો

Sharad Pawar : શું શરદ પવાર ફરી એકવાર સૌકોઈને ચોંકાવશે? આપ્યા મોટા સંકેત

અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે શરદ પવાર આજે ગુરુવારે મુંબઈના યશવંતરાય ચૌહાણ સેન્ટરમાં કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો.

Sharad Pawar News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ પરથી શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે ઘમાસાણ મચી જવા પામ્યું છે. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને નેતાઓ સુધી શરદ પવારને રાજીનામું ના આપવા અપીલ કરી રહ્યાં છે.  પાર્ટી કાર્યકર્તાઓ સતત પવારને નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે? જોકે હંમેશા પોતાના નિર્ણયોને લઈને ચોંકાવવા માટે જાણીતા શરદ પવાર ફરી એકવાર સૌકોઈને આશ્ચર્ય પમાડી શકે છે. 

અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે શરદ પવાર આજે ગુરુવારે મુંબઈના યશવંતરાય ચૌહાણ સેન્ટરમાં કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો.

શરદ પવારે કહ્યું હતું કે, મારે તમને લોકોને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવો જોઈતો હતો, પરંતુ આ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આવતીકાલે સાંજે 5:00 વાગ્યા સુધી બેઠક થશે અને તમારી ઈચ્છા મુજબ નિર્ણય લેવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મેં પાર્ટી (NCP)ના ભવિષ્ય માટે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેંદ્રીય મંત્રી શરદ પવારે 2 મે બે દિવસ અગાઉ પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ ચોંકાવનારા નિર્ણય બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી કે હવે પાર્ટીના પ્રમુખ કોણ હશે?

શુક્રવારે લાવવામાં આવશે દરખાસ્ત 

એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતીકાલે શુક્રવારે યોજાનારી 16 સભ્યોની એનસીપી સમિતિની બેઠકમાં શરદ પવારને પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. સર્વસંમતિથી આ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. ઘણા વિપક્ષી નેતાઓએ શરદ પાવરને લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સુધી પદ પર ચાલુ રાખવા વિનંતી કરી છે.

શરદ પવારે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી માટે 16 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો જે પણ નિર્ણય હશે તે પવારે સ્વીકારવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget