શોધખોળ કરો
કેંદ્રીય કર્મચારીઓની બે મહિના પહેલા જ દિવાળી, ઓગસ્ટમાં જ ચુકવાશે એરિયસની રકમ

નવી દિલ્લીઃ સાતમાં પગાર પંચની ભલામણને અમલ કરવાના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન સરકારે 27 જુલાઇએ બહાર પાડ્યું હતું. અત્યાર સુધી એવું અનુમાન લગાડવામાં આવતું હતું કે, કર્મચારીઓનાં એરિયસની ચુંકવણી આ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવશે, એટલે કે, માર્ચ 2017 સુધીમાં. પરંતું હવે સરકાર તરફથી કેંદ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેમના એરિયસની તમામ રકમ એક જ હપ્તામાં મળી જશે. નોધનિય છે કે, સાતમાં પગાર પંચની ભલામણને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. અને તમામ કર્મચારીઓને ઓગસ્ટ મહિનામાં પગારની સાથે જ તેમનું એરિયસ ચુકવી દેવામાં આવશે.
વધુ વાંચો





















