શોધખોળ કરો

Poonch Terror Attack: પૂંછ આતંકી હુમલામાં શહીદ જવાન કારગિલના યુદ્ધના હીરોનો સુપુત્ર, માને કહેતો હતો બધું જ ઠીક કરી દઇશ

હુમલા બાદ સેના આતંકીઓના જૂથને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને 6-7 આતંકવાદીઓની હાજરીના ઈનપુટ મળ્યા છે.

Poonch Terror Attack: હુમલા બાદ સેના આતંકીઓના જૂથને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને 6-7 આતંકવાદીઓની હાજરીના ઈનપુટ મળ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં બલિદાન આપનાર પાંચ સૈનિકોમાંથી એક લાન્સ નાઈક કુલવંત સિંહે પોતાના પિતાની જેમ શહીદી મેળવી. કુલવંત સિંહના પિતાએ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના જીવની કુરબાની  આપી હતી.

તેમના પિતાએ કારગીલના યુધ્ધમાં બલિદાન વહોર્યાં બાદ તે 11 વર્ષ બાદ તેઓ 2010માં સેનામાં જોડાયા હતા. લાન્સ નાઈક કુલવંત સિંહની માતાએ જણાવ્યું કે, 'જ્યારે મારો પુત્ર સેનામાં જોડાવા માટે ઘર છોડ્યો ત્યારે તેણે મને કહ્યું કે તેને કંઈ થશે નહીં અને બધું સારું થઈ જશે. કુલવંતની માતાએ લગભગ 24 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં તેના પતિ બલદેવ સિંહને ગુમાવ્યા હતા.

ફોન પર પત્ની સાથે છેલ્લી વાત શું થઈ

કુલવંતની પત્ની હરદીપ કૌરે જણાવ્યું કે, 'કુલવંતે તેમની શહીદીના એક દિવસ પહેલા તેમને ફોન કર્યો અને તેમના પુત્રને સમયસર રસી અપાવવા માટે કહ્યું. તેમના પરિવારમાં માતા, પત્ની, દોઢ વર્ષની પુત્રી અને ચાર માસનો પુત્ર છે. કુલવંત તેના ગામનું ઘર ફરીથી બનાવવાનું વિચારી રહ્યો હતો કારણ કે તેનું ઘર ઘણું જૂનું થઈ ગયું હતું.

કુલવંત સિંહ એક માત્ર કમાનાર હતો

કુલવંતને દોઢ વર્ષની પુત્રી અને ત્રણ માસનો પુત્ર છે, જે મોગાના ચડીક ગામમાં રહે છે. ગામના સરપંચે કહ્યું કે કુલવંત પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો, તેથી સરકારે તેના પરિવારને દરેક શક્ય રીતે મદદ કરવા આગળ આવવું જોઈએ.

આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે

ગુરુવારે (20 એપ્રિલ), અજાણ્યા આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચેથી પસાર થતા આર્મી વાહન પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે લશ્કરના શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડની મદદથી સેનાની ટ્રકમાં આગ લગાવી દીધી.

Poonch Terror Attack: ઇફતાર પાર્ટીનો સામાન લઇને પરત ફરતી ટ્રક પર આંતકી હુમલો, પૂંછના લોકો નહિ મનાવે ઇદ

Poonch Terror Attack: પૂંછમાં સેનાની ટ્રક પર હુમલો કરવામાં આવ્યો, તે ઈફ્તારનો સામાન લઈને પરત ફરી રહી હતી. તે જ દિવસે સાંજે એક ગામમાં ઈફ્તાર પાર્ટી યોજાવાની હતી. આ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે (20 એપ્રિલ) આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હવે આ માહિતી સામે આવી છે કે જ્યારે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સેનાના જવાનો પૂંછના એક ગામમાં યોજાનારી ઈફ્તાર પાર્ટી માટે ટ્રકમાં ફળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં ઉપવાસીઓની સાથે તે ગામના પંચ અને સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના જવાનોએ 20 એપ્રિલની સાંજે સાંગોટ વિસ્તારમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આવી ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. આ ઘટનાને લઈને આતંકીઓ ગુસ્સામાં હતા. એવા પણ અહેવાલ છે કે આતંકવાદીઓએ ઈફ્તાર પાર્ટીથી નારાજ થઈને જ આ હુમલાની યોજના બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget