'યાત્રાથી બચો, શેલ્ટર હોમ પાસે રહો...'ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
Israel-Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે, ભારત સરકારે ઈઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાયઝરી જારી કરી છે.

Israel-Iran War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાયઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે "વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધા ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ અને ઇઝરાયલી અધિકારીઓ અને 'હોમ ફ્રન્ટ કમાન્ડ' દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
The Embassy of India in Iran posts an advisory for Indian nationals living in Iran.
— ANI (@ANI) June 13, 2025
"In view of the current situation in Iran, all Indian nationals & persons of Indian origin in Iran are requested to remain vigilant, avoid all unnecessary movements, follow the Embassy’s Social… pic.twitter.com/nxgvL0AtDZ
આ સાથે, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નજીકના સુરક્ષા આશ્રયસ્થાનોની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે દરેકને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને જરૂર પડ્યે તાત્કાલિક સહાય માટે દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
ઈઝરાયલનું ઈરાન પર ઓપરેશન 'રાઇઝિંગ લાયન'
ગુરુવારે મોડી રાત્રે, ઈઝરાયલે ઈરાન વિરુદ્ધ એક મોટું લશ્કરી ઓપરેશન 'રાઇઝિંગ લાયન' શરૂ કર્યું. ઈરાનના રાજ્ય મીડિયાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને તેને "પૂર્વ-ખતરાની પ્રતિક્રિયા" તરીકે વર્ણવ્યું છે. ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના માટે સીધો ખતરો બની રહ્યો હતો અને તેથી જ આ લશ્કરી પગલું ભરવું જરૂરી બન્યું.
ખતકરો ટળે નહીં ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે: નેતન્યાહૂ
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઓપરેશન વિશે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તેમની સેનાએ ઈરાનના તે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે, જેઓ કથિત રીતે આ ઓપરેશનમાં સામેલ હતા. જેઓ પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર પર પણ ચોકસાઈથી હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે આ ઓપરેશનને 'સ્ટ્રેન્થ ઓફ અ લાયન' નામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાન દ્વારા ઉભો થયેલો ખતરો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે.




















