શોધખોળ કરો

મોટેરા સ્ટેડિયમને લઈને સૌરવ ગાંગુલીએ કર્યો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે અહીં જ.....

રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ બંને નિર્ણય લેવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા ઉતરવાની છે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, આગામી વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ બંને નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બોર્ડે આગામી વર્ષે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ માટે સંભવીત સ્થળો અંગે ચર્ચા કરી હતી. જે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમની અંતિમ શ્રેણી રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂન 2021મા લોર્ડ્સમાં રમાશે. આ શ્રેણીની એક ડે-નાઈટ ટેસ્ટ માટે મોટેરાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમને લઈને સૌરવ ગાંગુલીએ કર્યો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે અહીં જ..... તમને જણાવી દઈએ કે, સરાદર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સરદાર પટેલ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ આલિશાન સ્ટેડિયમમાં 6 કોર્પોરેટ બોક્સ, 4 ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં LED લાઈટ્સ લાગી છે, જ્યાં ડે-નાઈટ ટેસ્ટ જોવા માટે અને રમવાની એક અલગ જ મજા હશે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્યાંય પણ ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ભારત અત્યાર સુધી ફક્ત એક જ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે. ભારતે ગત વર્ષે બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ અને એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ રમી છે જેમાં વિરાટ કોહલીની ટીમનો વિજય થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget