શોધખોળ કરો

Jasprit Bumrah Injury: જસપ્રીત બુમરાહ ક્યારે કરશે મેદાનમાં વાપસી ? જાણો શું છે તેની ઇન્જરીનું તાજા અપડેટ

બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને બતાવ્યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્થિતિમાં છે,

Jasprit Bumrah Injury Update: ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની પીઠની ઇજાના કારણે પરેશાન છે. આ પરેશાનીને દુર કરવા માટે હાલમાં તેને પીઠનો સર્જરી ન્યૂઝીલેન્ડમાં જઇને કરાવી હતી, આ સર્જરી બાદ કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બુમરાહ કમ સે કમ છ મહિના વધુ ક્રિકેટથી દુર રહશે. જોકે, બીસીસીઆઇ ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ 2023 પહેલા જસપ્રીત બુમરાહની વાપસી કરાવવા માંગે છે. હવે ખબર એ પણ છે કે, જસપ્રીત બુમરાહ બહુજ જલદી એનસીએમાં પરત ફરવાનો છે. 

જસપ્રીત બુમરાહનું તાજા અપડેટ - 
બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને બતાવ્યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્થિતિમાં છે, વળી, ગઇ વખતે જસપ્રીત બુમરાહની વાપસી ઉતાવળમાં કરાવવામાં આવી હતી, કેમ કે તે સમયે પુરેપુરી રીતે તે ફિટ ન હતો થયો. એટલા માટે બૉલિંગના સમયે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આના પર અમે ખુબ ગંભીર છીએ કેમ કે ખોટો કૉલ તેના કેરિયર માટે ખુબ નુકશાનકારક બની શકે છે.  

વળી, રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ આ મહિનાના અંતમાં, નહીં તો એપ્રેલિના પહેલા અઠવાડિયામાં ભારત વાપસી કરી શકે છે. આ પછી તેની રિક્વરી માટે એનસીએ આખો પ્લાન બનાવશે. તમને બતાવી દઇએ કે જસપ્રીત બુમરાહ આઇપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી ઇજાના કારણે પહેલાથી બહાર થઇ ચૂક્યો છે. 

ક્યાં સુધી થશે જસપ્રીત બુમરાહની વાપસી - 
જસપ્રીત બુમરાહની વાપસી ક્યારે થશે એ કહેવું હજુ મુશ્કેલ છે, ઇનસાઇટસ્પૉર્ટ્સના એક સીનિયર બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહની વાપસીની તારીખ હજુ મુશ્કેલ છે. જ્યારે એકવાર તે સર્જરીથી ઠીક થઇ જશે, તો તે રિહેબમાંથી પસાર થશે અને રિહેબ ખતમ થવા પર જ અમને ખબર પડશે કે તે ક્યાં સુધી વાપસી કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આ વખતે વનડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ટીમ ઇન્ડિયા પોતાના આ સ્ટાર બૉલરને વર્લ્ડકપ પહેલા ફિટ થતો જોવા માંગે છે. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બૉલર છે, તે વર્લ્ડકપમાં ભારતની જીતનો સૌથી મોટી પ્લેયર બની શકે છે.  

 

IPL 2023: જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે ? આ ખેલાડીઓ પર દાવ રમી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

Mumbai Indians, Jasprit Bumrah Replacement: રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, પરંતુ આઈપીએલ 2023 પહેલા રોહિત શર્માની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહીં હોય. ઈજાના કારણે તે આખી સિઝન રમી શકશે નહીં. જો કે, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમનો ભાગ બનાવશે? આ પ્રશ્ન રહે છે.


સંદીપ શર્મા

સંદીપ શર્માની ગણતરી IPL ઇતિહાસના સૌથી સફળ બોલરોમાં થાય છે. આ બોલરે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને પાવરપ્લે ઓવરોમાં સંદીપ શર્માના આંકડા પ્રભાવશાળી છે. સંદીપ શર્માએ IPLની 104 મેચોમાં 7.77ની ઈકોનોમી સાથે 114 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જસપ્રીત બુમરાહના સ્થાને સંદીપ શર્માને ટીમનો ભાગ બનાવી શકે છે.

ધવલ કુલકર્ણી

ધવલ કુલકર્ણી આ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. ધવલ કુલકર્ણી ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ સિવાય તે ગુજરાત લાયન્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં ધવલ કુલકર્ણીના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ 92 મેચમાં 28.77ની એવરેજથી 86 વિકેટ ઝડપી છે.

અર્જન નાગવાસવાલા

અર્જન નાગવાસવાલા ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. જો કે, તેણે અત્યાર સુધી IPLમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ પ્રભાવ પાડ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જન નાગવાસવાલાએ 25 મેચમાં 16.62ની એવરેજથી 35 વિકેટ લીધી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ જસપ્રિત બુમરાહના સ્થાને અર્જન નાગવાસવાલા પર  દાવ રમી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget