શોધખોળ કરો

World Cup 2023 Venues: વર્લ્ડ કપ 2023 ના વેન્યૂની IPL ફાઈનલ બાદ થઈ શકે છે જાહેરાત, BCCI બનાવી રહ્યું છે પ્લાન

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ માટે તૈયારી શરૂ કરશે. હાલમાં જ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

World Cup 2023 Venues BCCI: ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ માટે તૈયારી શરૂ કરશે. હાલમાં જ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર BCCI ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે મેદાનની જાહેરાત કરશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપના સ્થળની જાહેરાત થઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુનિયાભરના ચાહકો નિહાળશે.

વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં સ્થળ અંગે અપડેટ પ્રાપ્ત થઈ શકે છે. ANI અનુસાર BCCI આની જાહેરાત IPL 2023ની ફાઇનલ મેચ બાદ કરી શકે છે. IPLની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. આ પછી સ્થળ વિશે અપડેટ પ્રાપ્ત થઈ શકે છે. અમદાવાદને સ્થળમાં પ્રાથમિકતા મળી શકે છે.

જો આપણે વર્લ્ડ કપ 2023 ના સ્થળ વિશે વાત કરીએ તો ઘણા મોટા શહેરો પર  નજર હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ, ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ગુવાહાટીમાં આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમનો સમાવેશ થઈ શકે છે. તેમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ, ઈન્દોરમાં હોલકર સ્ટેડિયમ અને મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ પણ સામેલ છે.

નોંધપાત્ર વાત એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણા મોટા નિવેદન આપ્યા છે. પીસીબી ચીફે કહ્યું હતું કે જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેઓ પણ ભારત નહીં આવે. આ વખતે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ હાલમાં બંને ટુર્નામેન્ટના સ્થળની સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ વર્લ્ડકપ માટે પાકિસ્તાન ભારત આવે તેવી સંભાવના છે.  

IPL ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે 28 મેના રોજ રમાશે. આ સિઝનની શરૂઆત પણ બંને ટીમો વચ્ચેની મેચથી થઈ હતી. આ પછી ક્વોલિફાયર 1 મેચ પણ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. હવે આ બંને ટીમો ફાઈનલ મેચમાં ફરી સામસામે થશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget