શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....

IND vs PAK T20 World Cup 2026: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા હાથ મિલાવવા મુદ્દે વિવાદ.
  • સૂર્યકુમાર યાદવે જવાબ માટે ૨૪ કલાક રાહ જોવા કહ્યું.
  • સલમાન આગાએ રમતને રાજકારણથી દૂર રાખવાની વાત કરી.
  • T20 વર્લ્ડ કપમાં ભારતનું પાકિસ્તાન સામે પ્રભુત્વ રહ્યું છે.

IND vs PAK T20 World Cup 2026: શ્રીલંકાના કોલંબોમાં આવતીકાલે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) ના હાઈ વોલ્ટેજ મુકાબલા અગાઉ રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે એક નવો વિવાદ છેડાયો છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનાર T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની આ મહાજંગ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા (Handshake Controversy) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે રહસ્ય જાળવી રાખતા માત્ર 24 કલાક રાહ જોવાનું જણાવી મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સીમા પરના તણાવ અને ભૂતકાળની ઘટનાઓના પડઘા હવે મેદાન પર ખેલાડીઓના પરસ્પર વ્યવહાર પર પણ જોવા મળી રહ્યા છે.

હાથ મિલાવવા મુદ્દે આવતીકાલે નિર્ણય લેવાશે

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે. હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, "અમે આવતીકાલે આ અંગે નિર્ણય લઈશું, તમે બસ 24 કલાક ધીરજ રાખો, તમને મેદાન પર જ જવાબ મળી જશે." ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે, જેની અસર રમતગમતના શિષ્ટાચાર પર પણ પડી છે. દુબઈમાં રમાયેલા એશિયા કપ બાદ બંને ટીમોના ખેલાડીઓએ પરસ્પર હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

બીજી તરફ, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ (Salman Agha) રમતની ભાવના (Spirit of Cricket) અંગે રાગ આલાપતા ફરિયાદના સુરમાં જણાવ્યું કે ક્રિકેટ હંમેશા યોગ્ય ભાવનાથી રમવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારત શું નિર્ણય લેશે તે તેમના પર નિર્ભર છે, પરંતુ રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આંકડાકીય રીતે જોઈએ તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું (Indian Cricket Team) પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં વિજય મેળવીને પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખ્યું છે. આવતીકાલે સાંજે રમાનાર આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓનું વર્તન પણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનશે.

Frequently Asked Questions

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ ક્યાં રમાશે?

આ મેચ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાના પ્રશ્ન પર શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ આ અંગે આવતીકાલે નિર્ણય લેશે અને દર્શકોને 24 કલાક રાહ જોવાનું કહ્યું. તેમનું ધ્યાન મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.

પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રમત અંગે શું ટિપ્પણી કરી?

સલમાન આગાએ ક્રિકેટને હંમેશા યોગ્ય ભાવનાથી રમવાની વાત કરી અને જણાવ્યું કે રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડા શું છે?

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં જીત મેળવી છે, જે પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget