શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....

IND vs PAK T20 World Cup 2026: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા હાથ મિલાવવા મુદ્દે વિવાદ.
  • સૂર્યકુમાર યાદવે જવાબ માટે ૨૪ કલાક રાહ જોવા કહ્યું.
  • સલમાન આગાએ રમતને રાજકારણથી દૂર રાખવાની વાત કરી.
  • T20 વર્લ્ડ કપમાં ભારતનું પાકિસ્તાન સામે પ્રભુત્વ રહ્યું છે.

IND vs PAK T20 World Cup 2026: શ્રીલંકાના કોલંબોમાં આવતીકાલે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) ના હાઈ વોલ્ટેજ મુકાબલા અગાઉ રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે એક નવો વિવાદ છેડાયો છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનાર T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની આ મહાજંગ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા (Handshake Controversy) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે રહસ્ય જાળવી રાખતા માત્ર 24 કલાક રાહ જોવાનું જણાવી મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સીમા પરના તણાવ અને ભૂતકાળની ઘટનાઓના પડઘા હવે મેદાન પર ખેલાડીઓના પરસ્પર વ્યવહાર પર પણ જોવા મળી રહ્યા છે.

હાથ મિલાવવા મુદ્દે આવતીકાલે નિર્ણય લેવાશે

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે. હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, "અમે આવતીકાલે આ અંગે નિર્ણય લઈશું, તમે બસ 24 કલાક ધીરજ રાખો, તમને મેદાન પર જ જવાબ મળી જશે." ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે, જેની અસર રમતગમતના શિષ્ટાચાર પર પણ પડી છે. દુબઈમાં રમાયેલા એશિયા કપ બાદ બંને ટીમોના ખેલાડીઓએ પરસ્પર હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

બીજી તરફ, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ (Salman Agha) રમતની ભાવના (Spirit of Cricket) અંગે રાગ આલાપતા ફરિયાદના સુરમાં જણાવ્યું કે ક્રિકેટ હંમેશા યોગ્ય ભાવનાથી રમવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારત શું નિર્ણય લેશે તે તેમના પર નિર્ભર છે, પરંતુ રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આંકડાકીય રીતે જોઈએ તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું (Indian Cricket Team) પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં વિજય મેળવીને પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખ્યું છે. આવતીકાલે સાંજે રમાનાર આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓનું વર્તન પણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનશે.

Frequently Asked Questions

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ ક્યાં રમાશે?

આ મેચ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાના પ્રશ્ન પર શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ આ અંગે આવતીકાલે નિર્ણય લેશે અને દર્શકોને 24 કલાક રાહ જોવાનું કહ્યું. તેમનું ધ્યાન મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.

પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રમત અંગે શું ટિપ્પણી કરી?

સલમાન આગાએ ક્રિકેટને હંમેશા યોગ્ય ભાવનાથી રમવાની વાત કરી અને જણાવ્યું કે રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડા શું છે?

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં જીત મેળવી છે, જે પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget