આ મેચ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....
IND vs PAK T20 World Cup 2026: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે.

IND vs PAK T20 World Cup 2026: શ્રીલંકાના કોલંબોમાં આવતીકાલે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) ના હાઈ વોલ્ટેજ મુકાબલા અગાઉ રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે એક નવો વિવાદ છેડાયો છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનાર T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની આ મહાજંગ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા (Handshake Controversy) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે રહસ્ય જાળવી રાખતા માત્ર 24 કલાક રાહ જોવાનું જણાવી મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સીમા પરના તણાવ અને ભૂતકાળની ઘટનાઓના પડઘા હવે મેદાન પર ખેલાડીઓના પરસ્પર વ્યવહાર પર પણ જોવા મળી રહ્યા છે.
હાથ મિલાવવા મુદ્દે આવતીકાલે નિર્ણય લેવાશે
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે. હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, "અમે આવતીકાલે આ અંગે નિર્ણય લઈશું, તમે બસ 24 કલાક ધીરજ રાખો, તમને મેદાન પર જ જવાબ મળી જશે." ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે, જેની અસર રમતગમતના શિષ્ટાચાર પર પણ પડી છે. દુબઈમાં રમાયેલા એશિયા કપ બાદ બંને ટીમોના ખેલાડીઓએ પરસ્પર હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
બીજી તરફ, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ (Salman Agha) રમતની ભાવના (Spirit of Cricket) અંગે રાગ આલાપતા ફરિયાદના સુરમાં જણાવ્યું કે ક્રિકેટ હંમેશા યોગ્ય ભાવનાથી રમવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારત શું નિર્ણય લેશે તે તેમના પર નિર્ભર છે, પરંતુ રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આંકડાકીય રીતે જોઈએ તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું (Indian Cricket Team) પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં વિજય મેળવીને પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખ્યું છે. આવતીકાલે સાંજે રમાનાર આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓનું વર્તન પણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનશે.
Frequently Asked Questions
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ ક્યાં રમાશે?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાના પ્રશ્ન પર શું કહ્યું?
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ આ અંગે આવતીકાલે નિર્ણય લેશે અને દર્શકોને 24 કલાક રાહ જોવાનું કહ્યું. તેમનું ધ્યાન મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.
પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રમત અંગે શું ટિપ્પણી કરી?
સલમાન આગાએ ક્રિકેટને હંમેશા યોગ્ય ભાવનાથી રમવાની વાત કરી અને જણાવ્યું કે રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડા શું છે?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં જીત મેળવી છે, જે પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખે છે.




















