શોધખોળ કરો

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

India all rounder Rishi Dhawan: તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી

India all rounder Rishi Dhawan:  ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી. ઋષિ ધવન 9 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેણે તેની છેલ્લી વન-ડે અને ટી-20 મેચ પણ 2016માં જ રમી હતી. ઋષિ ધવને IPLમાં સતત સારુ પ્રદર્શન કર્યું છે. તે 10 વર્ષથી પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ આઇપીએલ 2025માં કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishi Dhawan (@rishidhawan19)

ઋષિ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “હું ભારે મન સાથે ભારતીય ક્રિકેટ (લિમિટેડ ઓવર)માંથી નિવૃત્તિ જાહેર કરું છું. જોકે મને તેનો કોઈ અફસોસ નથી. આ એક એવી રમત છે જેણે છેલ્લા 20 વર્ષથી મારા જીવનને પરિભાષિત કર્યું છે. આ રમતે મને અપાર ખુશી અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે.

ધવને આગળ લખ્યું હતું કે, “ હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA), પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. “ એક સાધારણ શરૂઆતથી લઇને સૌથી મોટા મંચો પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ક્રિકેટ મારું ઝનૂન રહ્યું છે.

નોંધનીય છે કે ધવને 134 લિસ્ટ A મેચોમાં 29.74ની એવરેજથી 186 વિકેટ લીધી છે અને 38.23ની એવરેજથી 2906 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. 135 T20માં તેણે 26.44ની એવરેજ અને 7.06ના ઈકોનોમી રેટથી 118 વિકેટ લીધી અને 121.33ના સ્ટ્રાઈક રેટથી 1740 રન બનાવ્યા હતા. ઋષિ ભારત માટે બહુ ઓછી મેચ રમ્યો છે. તેણે ભારતીય ટીમ માટે કુલ 3 વન-ડે અને એક ટી-20 મેચ રમી છે. દરમિયાન તેણે અનુક્રમે 1 અને 1 વિકેટ લીધી છે.

તેણે જાન્યુઆરી 2016માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ અને એકમાત્ર ટી-20 મેચ રમી હતી. તેનું આંતરરાષ્ટ્રીય કરિયર લાંબું ચાલ્યું નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget