અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિત ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે 30 જુલાઈએ આ ઘોષણા કરી.
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Ajinkya Rahane Retirement from International Cricket: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ એક વીડિયો શેર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ વાતની જાહેરાત તેણે એક વીડિયો શેર કરીને કરી છે.

- ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
- રહાણેએ 30 જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી.
- તેઓ હવે IPL સહિત અન્ય કોઈપણ ક્રિકેટ રમશે નહીં.
- 2020-21 ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતાડવામાં કપ્તાની કરી.
Ajinkya Rahane Retirement from International Cricket: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી.
ભારતીય ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રહાણેએ 30 જુલાઈ (ગુરુવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવાની ઘોષણા કરી હતી. રહાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ગત સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કેપ્ટન હતા, પરંતુ હવે તેઓ આ T20 લીગમાં પણ જોવા નહીં મળે. રહાણેએ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.
આ પણ વાંચો...શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
અજિંક્ય રહાણેએ લખ્યું, 'કેપ નંબર 278, હવે અહીં જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ.' આ સંદેશ સાથે તેમણે પોતાના ચાહકો, સાથી ખેલાડીઓ, કોચ અને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
રહાણેની કારકિર્દીનો સૌથી સુવર્ણ અધ્યાય 2020-21 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જોવા મળ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતની શરમનાક હાર અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને તેમણે ભારતને સિરીઝમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઐતિહાસિક જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવ્યું હતું. આ જીત ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઉપબ્ધિઓમાં ગણાય છે અને રહાણેની કેપ્ટનશીપને હંમેશા યાદ રાખવામાં આવશે.
6 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી
અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું હતું, જેમાં 4 જીત મેળવી હતી અને ૨ ડ્રો કરાવી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2021 માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.
રહાણેની ટેસ્ટ કારકિર્દી:
• 85 મેચ, 5077 રન, 38.46 સરેરાશ
• 12 સદી, 26 અડધી સદી, 49.50 સ્ટ્રાઇક રેટ
• 578 ચોગ્ગા, 35 છગ્ગા
Frequently Asked Questions
અજિંક્ય રહાણે કયા ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે?
અજિંક્ય રહાણેએ કઈ રીતે નિવૃત્તિની જાહેરાત કરી?
તેમણે 30 જુલાઈ (ગુરુવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ અને વીડિયો શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સંદેશમાં તેમણે ચાહકો અને ભારતીય ક્રિકેટનો આભાર માન્યો.
રહાણેની કેપ્ટનશીપ હેઠળની સૌથી યાદગાર જીત કઈ હતી?
તેમની કેપ્ટનશીપ હેઠળ 2020-21 માં ભારતે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારી તેમણે ટીમને સિરીઝમાં વાપસી કરાવી હતી.
અજિંક્ય રહાણેએ કેટલી ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું?
અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 4 જીત મેળવી હતી અને 2 મેચ ડ્રો રહી હતી, જેમાં 2021ની ઓસ્ટ્રેલિયા સિરીઝનો સમાવેશ થાય છે.



















