શોધખોળ કરો

IND vs WI: વેસ્ટઈન્ડિઝ સામે મેચ પહેલા ટીમ સાથે જોડાશે રિંકુ સિંહ, BCCI સચિવે આપ્યું મોટું અપડેટ 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ માટે રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ માટે રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટાર બેટ્સમેન શનિવારે કોલકાતામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. રિંકુ તેમના પિતાના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઘરે પરત ફર્યો હતો.

પિતાના મૃત્યુ પછી ઘરે પરત ફર્યો 

સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે સવારે અવસાન થયું. સમાચાર મળતાં  રિંકુ તેમના અંતિમ દર્શન માટે અલીગઢ ગયો. આ કટોકટીના સમયમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રવિવારની મેચમાં તેમની ભાગીદારી શંકાસ્પદ માનવામાં આવી રહી હતી. જોકે, BCCI સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી છે કે રિંકુ શનિવારે ટીમમાં જોડાશે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતા સૈકિયાએ કહ્યું, "રિંકુ સિંહ કાલે (શનિવારે) કોલકાતામાં ટીમમાં જોડાશે."

પિતાને ભીની આંખો સાથે વિદાય આપી

રિંકુના પિતા ખાનચંદને ત્રણ દિવસથી નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સ્ટેજ-4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. ખાનચંદના પાર્થિવ શરીરને શુક્રવારે અલીગઢ લાવવામાં આવ્યું હતું, જ્યાં સ્ટાર બેટ્સમેને પિતાને ભીની આંખો સાથે વિદાય આપી હતી. રિંકુની સફળતામાં તેના પિતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારત માટે આ મેચ મહત્વપૂર્ણ છે

રિંકુએ વર્તમાન ટુર્નામેન્ટમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે શૂન્ય રન સહિત પાંચ ઇનિંગ્સમાં કુલ 24 રન બનાવ્યા છે. ગત ચેમ્પિયન ભારત રવિવારે સુપર 8 તબક્કાની મહત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. સેમિ-ફાઇનલ બર્થની દ્રષ્ટિએ આ મેચને વર્ચ્યુઅલ નોકઆઉટ માનવામાં આવે છે. આ મેચનો વિજેતા ગ્રુપ 1 માંથી દક્ષિણ આફ્રિકા સાથે સેમિફાઇનલમાં પહોંચશે. 

રિંકુ સિંહના પિતાનું ગ્રેટર નોઈડામાં અવસાન થયું, ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અલીગઢ લાવવામાં આવ્યો. રિંકુ ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા સાથે હતો, પરંતુ પિતાના અવસાનના સમાચાર મળતાં તે અલીગઢ જવા રવાના થયો. રિંકુના મોટા ભાઈ સોનુ સિંહે તેના પિતા ખાનચંદ સિંહના અંતિમ સંસ્કાર કર્યા.

રિંકુ અગાઉ તેના પિતાની બગડતી તબિયતને કારણે ચેન્નાઈથી નોઈડા ગયો હતો, પરંતુ બીજા જ દિવસે ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયામાં પાછો જોડાયો. આ દરમિયાન, રિંકુ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં રમી શક્યો ન હતો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget