શોધખોળ કરો

IND vs BAN: લિટન દાસની તોફાની બેટિંગ જોઇ નર્વસ થઇ ગયો હતો રોહિત શર્મા, મેચ બાદ જણાવ્યો ટર્નિંગ પોઇન્ટ

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું

Rohit Sharma On IND vs BAN Match: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 16 ઓવરમાં 151 રનની જરૂર હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. જોકે, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જીતીને 185 રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે 27 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

'હું નર્વસ અને શાંત પણ હતો'

બાંગ્લાદેશ સામેની આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન હું શાંત હોવાની સાથે સાથે નર્વસ પણ હતો. આ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, અમે અમારી રણનીતિ પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય કેપ્ટને કહ્યું કે વરસાદ બાદ બાંગ્લાદેશની 10 વિકેટ બાકી હતી, તેથી મેચ ગમે તે બાજુ જઇ શકે તેમ હતી. આ સાથે તેણે અર્શદીપ સિંહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહની ગેરહાજરી બાદ અમારી ટીમને આવા બોલરોની જરૂર હતી, યુવા ખેલાડી માટે આ સરળ નહોતું, પરંતુ અર્શદીપ સિંહે તે કરી બતાવ્યું. આ સિવાય તેણે વિરાટ કોહલી અને કેએલ રાહુલના વખાણ કર્યા હતા. ભારતીય ટીમની ફિલ્ડિંગ પર રોહિત શર્માએ કહ્યું કે આ મેચમાં અમારી ફિલ્ડિંગ શાનદાર રહી. અમારા ખેલાડીઓએ નિર્ણાયક મેચમાં શાનદાર કેચ લીધા, સાચું કહું તો મને મારી ટીમની ફિલ્ડિંગ પર ક્યારેય શંકા નહોતી.

વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

એક સમયે બાંગ્લાદેશની ટીમે 7.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 68 રન બનાવી લીધા હતા, પરંતુ વરસાદ પછી બાકીના બેટ્સમેનો શ્રેષ્ઠ શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. બાંગ્લાદેશના ઓપનર નજમુલ હુસેન શાંતો અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે આક્રમક 68 રનની ભાગીદારી કરી હતી. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget