શોધખોળ કરો

IND vs BAN: લિટન દાસની તોફાની બેટિંગ જોઇ નર્વસ થઇ ગયો હતો રોહિત શર્મા, મેચ બાદ જણાવ્યો ટર્નિંગ પોઇન્ટ

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું

Rohit Sharma On IND vs BAN Match: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 16 ઓવરમાં 151 રનની જરૂર હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. જોકે, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જીતીને 185 રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે 27 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

'હું નર્વસ અને શાંત પણ હતો'

બાંગ્લાદેશ સામેની આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન હું શાંત હોવાની સાથે સાથે નર્વસ પણ હતો. આ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, અમે અમારી રણનીતિ પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય કેપ્ટને કહ્યું કે વરસાદ બાદ બાંગ્લાદેશની 10 વિકેટ બાકી હતી, તેથી મેચ ગમે તે બાજુ જઇ શકે તેમ હતી. આ સાથે તેણે અર્શદીપ સિંહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહની ગેરહાજરી બાદ અમારી ટીમને આવા બોલરોની જરૂર હતી, યુવા ખેલાડી માટે આ સરળ નહોતું, પરંતુ અર્શદીપ સિંહે તે કરી બતાવ્યું. આ સિવાય તેણે વિરાટ કોહલી અને કેએલ રાહુલના વખાણ કર્યા હતા. ભારતીય ટીમની ફિલ્ડિંગ પર રોહિત શર્માએ કહ્યું કે આ મેચમાં અમારી ફિલ્ડિંગ શાનદાર રહી. અમારા ખેલાડીઓએ નિર્ણાયક મેચમાં શાનદાર કેચ લીધા, સાચું કહું તો મને મારી ટીમની ફિલ્ડિંગ પર ક્યારેય શંકા નહોતી.

વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

એક સમયે બાંગ્લાદેશની ટીમે 7.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 68 રન બનાવી લીધા હતા, પરંતુ વરસાદ પછી બાકીના બેટ્સમેનો શ્રેષ્ઠ શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. બાંગ્લાદેશના ઓપનર નજમુલ હુસેન શાંતો અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે આક્રમક 68 રનની ભાગીદારી કરી હતી. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget