શોધખોળ કરો

વિરાટ કોહલી ફાઈનલમાં રમશે કે નહીં? દુબઈથી ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર!

વિરાટ કોહલી ઈજાગ્રસ્ત: શું ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં નહીં રમે? ટીમમાં ચિંતાનું મોજુ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પહેલાં, ટીમ ઇન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે ટીમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વિરાટ કોહલીની ઈજાના સમાચાર ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દુબઈની આઈસીસી એકેડમીમાં ફાસ્ટ બોલિંગ સામે પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલીના પગમાં બોલ વાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, બોલ વાગ્યા બાદ વિરાટ કોહલી પીડાથી કણસતો જોવા મળ્યો હતો અને તેણે તાત્કાલિક પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. આ ઘટનાના પગલે મેદાન પર હાજર સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.

પાકિસ્તાની મીડિયા ચેનલ જીઓ ન્યૂઝના અહેવાલ અનુસાર, વિરાટ કોહલીને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ છે. બોલ વાગ્યા બાદ તુરંત જ ટીમ ઈન્ડિયાની મેડિકલ ટીમ તેમની પાસે પહોંચી અને તેમને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. વિરાટના ઘૂંટણ પર પેઇન રિલીવિંગ સ્પ્રે લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ઘૂંટણ પર પટ્ટી બાંધેલો પણ જોવા મળ્યો હતો.

જો કે, રિપોર્ટ્સમાં એવા પણ અહેવાલ છે કે વિરાટ કોહલીની ઈજા ગંભીર નથી. ઘટના પછી તરત જ પ્રેક્ટિસ સેશન છોડી દેવા છતાં, વિરાટ કોહલી ટીમનું પ્રશિક્ષણ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી મેદાન પર હાજર રહ્યો હતો. ભારતીય કોચિંગ સ્ટાફે પણ માહિતી આપી છે કે વિરાટને વધારે ગંભીર ઈજા નથી પહોંચી અને તેઓ આશા રાખે છે કે તે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે. ટીમ ઇન્ડિયા અને કરોડો ચાહકો માટે આ રાહતના સમાચાર કહી શકાય છે.

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો મુખ્ય બેટ્સમેન છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચોમાં 217 રન બનાવ્યા છે, જેમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી મોટી મેચોનો ખેલાડી માનવામાં આવે છે અને ફાઇનલમાં તેનું રમવું ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સૌ કોઈ એ આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે.

આ પણ વાંચો....

રોહિત, વિરાટ અને જાડેજાને મોટો ઝટકો આપવની તૈયારીમાં BCCI, આ લિસ્ટમાંથી કરશે બહાર

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget