શોધખોળ કરો

ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર

મેસ્સી સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો સાથે મેચ રમી શકે છે

Lionel Messi Wankhede: જો તમે પણ આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના મોટા ચાહક છો તો આ સમાચાર તમારા માટે છે. મેસ્સી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ભારત આવી શકે છે. આ સ્ટાર ફૂટબોલર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાનો જાદુ ફેલાવશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મેસ્સી ફૂટબોલમાં નહીં, પરંતુ ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવતો જોવા મળશે. મેસ્સી સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો સાથે મેચ રમી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

મેસ્સીનો ચાર્મ વાનખેડેમાં જોવા મળશે

વાસ્તવમાં ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, લિયોનેલ મેસ્સી 14 ડિસેમ્બરે વાનખેડે મેદાન પર પોતાનો જાદૂ ફેલાવતો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે જો બધું યોજના મુજબ રહ્યું તો મેસ્સી સચિન તેંડુલકર, રોહિત શર્મા, એમએસ ધોની અને વિરાટ કોહલી સાથે ક્રિકેટ મેચ રમતો જોવા મળશે.

એક ઇવેન્ટ એજન્સીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને 14 ડિસેમ્બર સુધી મેદાનને બ્લોક રાખવા માટે વિનંતી કરી છે. મેસ્સી ભારતની મુલાકાત લેશે. એમસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "મેસ્સી 14 ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમ આવશે. તે ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ પણ રમી શકે છે. આયોજકો સંપૂર્ણ સમયપત્રક તૈયાર કર્યા પછી આ અંગે માહિતી આપશે."

લિયોનેલ મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસે આવી શકે છે. મેસ્સી આ સમય દરમિયાન મુંબઈ ઉપરાંત દિલ્હી અને કોલકાતાની પણ મુલાકાત લઈ શકે છે. આ સ્ટાર ફૂટબોલર 14 વર્ષ પછી ભારત આવશે. અગાઉ તે 2011માં મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે ભારત આવ્યો હતો. અગાઉ એવા અહેવાલો હતા કે મેસ્સી ઓક્ટોબરમાં આખી આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ સાથે ભારત આવી શકે છે. જોકે, આ યોજના હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. 38 વર્ષીય મેસ્સી હાલમાં ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમી રહ્યો છે. મેસ્સી આવતા વર્ષે તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમતા જોવા મળશે. 2022માં તેણે પોતાની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું હતું. 

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget