હા, આ શક્ય છે. આ માટે ઘરને 'ઓફ-ગ્રીડ સોલર સિસ્ટમ' પર શિફ્ટ કરવું પડે છે.
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: બધતા વીજ બિલ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે આજે સોલર એનર્જીનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સરકાર પણ લોકોને સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

- સરકારી વીજળી વગર ઘર સોલર પાવર પર ચાલે શક્ય.
- ઓફ-ગ્રીડ સિસ્ટમ દિવસમાં વીજળી બનાવે, રાત્રે બેટરી આપે.
- દૈનિક વપરાશ મુજબ સિસ્ટમ કદ, બેટરી બેકઅપ અનિવાર્ય.
- ભારે ઉપકરણો માટે મોટી સોલર પેનલ અને બેટરી ક્ષમતા.
Solar Power: બધતા વીજ બિલ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે આજે સોલર એનર્જીનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સરકાર પણ લોકોને સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું સરકારી વીજ કનેક્શન સંપૂર્ણપણે કાપીને માત્ર સોલર પેનલ અને બેટરીના આધારે જ આખું ઘર ચલાવી શકાય?
જવાબ છે: હા, આ શક્ય છે. પરંતુ આ માટે ઘરને 'ઓફ-ગ્રીડ સોલર સિસ્ટમ' (Off-grid Solar System) પર શિફ્ટ કરવું પડે છે.
દિવસ અને રાત્રિ દરમિયાન કેવી રીતે મળે છે વીજળી?
દિવસ દરમિયાન સોલર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે, જેનાથી ઘરના તમામ ઉપકરણો ચાલે છે. જરૂરિયાત કરતાં વધુ બનતી વીજળી બેટરીમાં સ્ટોર થાય છે. રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ નથી હોતો, ત્યારે આ બેટરી જ ઘરના પંખા, લાઈટ, ટીવી અને ફ્રિજ જેવા ઉપકરણોને પાવર સપ્લાય આપે છે. આજકાલ લાંબા બેકઅપ અને ઝડપી ચાર્જિંગ માટે લિથિયમ-આયન (Lithium-ion) બેટરીઓ વધુ પસંદ કરવામાં આવી રહી છે.
સિસ્ટમ સાઈઝ અને વાદળછાયા વાતાવરણનું ગણિત
તમારા ઘર માટે કેટલી સોલર પેનલ અને કેટલી ક્ષમતાની બેટરી જોઇશે, તેનો આધાર દૈનિક યુનિટ વપરાશ પર રહેલો છે. ચોમાસામાં કે વાદળછાયા વાતાવરણમાં જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય છે ત્યારે પેનલ ઓછી વીજળી બનાવે છે. આવી સ્થિતિમાં સતત બે-ત્રણ દિવસ સુધી તડકો ન નીકળે તો બેટરી ડિસ્ચાર્જ થવાનું જોખમ રહે છે. તેથી જ 100% સોલર આધારિત ઘર માટે એક્સ્ટ્રા બેટરી બેકઅપ હોવું જરૂરી બની જાય છે.
શું AC અને ગીઝર જેવા ભારે ઉપકરણો ચાલી શકે?
હા, સોલર પર AC, વોશિંગ મશીન, વોટર મોટર અને માઇક્રોવેવ જેવા ભારે ઉપકરણો પણ ચલાવી શકાય છે. જોકે, આ ઉપકરણો વધુ વીજળી ખેંચતા હોવાથી તે માટે મોટી ક્ષમતાવાળી સોલર પેનલ અને વધુ પાવરવાળી બેટરી સ્ટોરેજ ડિઝાઈન કરાવવી પડે છે. ટૂંકમાં, યોગ્ય આયોજન અને ક્ષમતા મુજબની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે તો સરકારી વીજળી વગર પણ આખું ઘર સોલર પાવર પર સફળતાપૂર્વક ચલાવી શકાય છે.
Frequently Asked Questions
શું સરકારી વીજ કનેક્શન વગર આખું ઘર ફક્ત સોલર પાવર પર ચલાવી શકાય?
ઓફ-ગ્રીડ સોલર સિસ્ટમ દિવસ અને રાત્રિ દરમિયાન વીજળી કેવી રીતે પૂરી પાડે છે?
દિવસ દરમિયાન સોલર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. જરૂરિયાત કરતાં વધુ વીજળી બેટરીમાં સ્ટોર થાય છે, જે રાત્રે ઉપકરણોને પાવર સપ્લાય કરે છે.
ઘર માટે સોલર સિસ્ટમની ક્ષમતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
તમારા ઘર માટે કેટલી સોલર પેનલ અને બેટરી જોઇશે, તેનો આધાર દૈનિક વીજળીના વપરાશ પર રહેલો છે.
AC અને ગીઝર જેવા ભારે ઉપકરણો સોલર પર ચલાવવા માટે શું કરવું પડે?
AC જેવા ભારે ઉપકરણો વધુ વીજળી ખેંચતા હોવાથી તે માટે મોટી ક્ષમતાવાળી સોલર પેનલ અને વધુ પાવરવાળી બેટરી સ્ટોરેજ ડિઝાઈન કરાવવી પડે છે.






















