Hun To Bolish : હું તો બોલીશ : દાદાના કૉપીરાઈટ્સ !
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી 13 વાનર સેના સાથેની હનુમાનજીની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટથી આરક્ષિત કરાઇ .પ્રેસનોટ જાહેર કરીને સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો... આ નિર્ણય લેવા પાછળનો મુખ્યકારણ સાળંગપુર હનુમાનજીના લોગો, ચિત્રો અને તસ્વીરોનો કોર્મર્શિયલ યુઝ વધી ગયો હતો...જેના ઉપર હવે રોક લગાવવાનો હેતુ હોવાનું મંદિર પ્રશાસનનું કહેવું છે...સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીએ વીડિયો જાહેર કરીને આવાતની જાણ કરી..
સાળંગપુર હનુમાન દાદા કોપીરાઇટ મુદ્દે હવે વિવાદ શરૂ થયો....(3 વિન્ડો) સાધુ -સંતો,શ્રદ્ધાળુઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.....જૂનાગઢના મેંદરડા સ્થિત ખાખીમઢી આશ્રમના સુખરામદાસ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહારો કર્...ભારે રોષ સાથે સીધી ચેતવણી આપી કે ધર્મને ધંધો ન બનાવો...સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને આ નિર્ણય તુરંત પાછો ખેંચવા માંગ કરી....તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ પણ આ નિર્ણય સામે ભારે રોષ નોંધાવ્..બ્રહ્મ સમાજે સીધો પ્રહાર કર્યો કે સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી...કષ્ટભંજન દેવ, ‘કિંગ ઓફ સારંગપુર’ અને પ્રસાદ પર ટ્રેડમાર્ક લેવાના મુદ્દે કરોડો હિંદુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે....આ તરફ અમદાવાદના પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થિવ નાણાવટીએ પણ એક નાગરિક તરીકે સવાલ ઉઠાવ્યો કે ભગવાન સૌના છે અને તેમના કોઈ સ્વરૂપ પર કોઈ એક સંસ્થાનો એકાધિકાર યોગ્ય ન કહેવાય....તો દાદાના ભક્તોએ પણ આ નિર્ણયને લઈને સવાલો ઉભા કર્યા.....






















