Hun to Bolish | હું તો બોલીશ | બિમારીનું મૂળ
ભોજનમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ વધી રહી છે... એવામાં અમદાવાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ થયો. પૂર્વ કોર્પોરેટર આશિષ રાણા કાંકરિયામાં આવેલા મનપસંદ ભાજીપાવ નામના ફૂડસ્ટોલમાં જમવા ગયા હતા.પરંતુ પિત્ઝા અને ટમેટો કેચઅપમાંથી માખી નીકળી. જેને લઈ નેતાજીએ વીડિયો ઉતારી પોતાની વેદના રજૂ કરી.
વડોદરામાં મીઠાઈની દુકાનમાંથી ખરીદેલા પેંડામાં ફૂગ જોવા મળી. દીકરો પાસ થવાની ખુશીમાં એક ગ્રાહકે કડક બજારની સત્ય નારાયણ ફરસાણ નામની દુકાનમાંથી પેંડા ખરીદ્યા.
પરંતુ પેંડામાંથી દુર્ગધ આવવાની સાથે ફુગ જમા થયેલી હતી. તો અન્ય મીઠાઈમાં પણ ફૂગ જોવા મળી. ચોમાસાની સિઝનમાં મીઠાઈમાં ફૂગ આવી હોવા છતા વેપારી તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે દુકાનદાર સામે કાર્યવાહી કરવા ગ્રાહકે આરોગ્ય વિભાગને રજૂઆત કરી.





















