શોધખોળ કરો
અમદાવાદઃ પાલડી બસ સ્ટેન્ડ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 14.37 લાખની લૂંટ
1/3

પાલડી વિસ્તારમાં આજે બનેલી લૂંટની ઘટનાએ શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે. દિવાળી સમયે પોલીસ કમિશ્નરની કડક સૂચના હોવા છતાંય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે સૂચના માત્ર કાગળ પરની જ સૂચના રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં નવા શહેર પોલીસ કમિશ્નરની નિયુક્તિ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કમિશ્નરે લગભગ ચાર કલાક સુધી મીટીંગ કરી હતી અને વણઉકેલાયેલા ગુના વિશેની જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરંતુ આ કમિશ્નરનું આ જરૂરી માર્ગદર્શન પણ પોલીસ અધિકારીઓ માટે જરૂરી સાબિત નથી રહ્યું.
2/3

ઉલ્લેખનીય છે કે, દીવાળી પહેલાં શહેરમાં કોઈ પણ ચોરી કે લૂંટની ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નરે તમામ અધિકારીઓને સૂચના આપેલી છે કે શહેરમાં પેટ્રોલીંગ કરતા રહેવું અને ભીડભાડવાળા વિસ્તારો, બસ સ્ટેન્ડ પર સખત પેટ્રોલિંગ કરવું, પરંતુ શહેર પોલીસ માટે શેઠની શિખામણ ઝાંપા સુધી જ રહેતી હોય છે, તે કહેવતને સાર્થક સાબિત કરી છે.
Published at : 26 Oct 2016 10:46 AM (IST)
Tags :
Ahmedabad RobberyView More





















