શોધખોળ કરો
અમદાવાદઃ જન્મદિવસે જ યુવતીએ સાબરમતીમાં ઝંપલાવી કર્યો આપઘાત, ત્રણ દિવસ પહેલા જ થયા હતાં છૂટાછેડા, જાણો વિગત
1/3

મળતી માહિતી પ્રમાણે શહેરનાં ખાનપુર ખાતે આવેલા વોક વે પરથી પારૂલ હસમુખભાઇ પટેલે નદીમાં ઝંપલાવ્યું હતું. મૃતક યુવતી ભરૂચનાં બલોટા ગામની વતની છે. આજે જ તેનો જન્મદિવસ પણ હતો. આ યુવતીનાં 17મી જાન્યુઆરીનાં રોજ છૂટાછેડા થયા હતાં. આ કારણે જ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
2/3

અમદાવાદઃ શહેરના ખાનપુરમાં રિવરફ્રન્ટ વોક વે પરથી એક 22 વર્ષની યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ભરૂચની રહેવાસી હતી અને ત્રણ દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
Published at : 20 Jan 2019 04:21 PM (IST)
View More




















