શોધખોળ કરો
હાર્દિક ફરી મેદાનમાં, પાટીદાર અનામત મુદ્દે નીતિન પટેલની કાઢી કેવી ઝાટકણી ? જાણો
1/4

હાર્દિકે પેજ પર લખ્યું છે કે, ગઈ કાલે મહેસાણા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની નોટબંધીના મામલે આકરાં પ્રહારો કર્યા હતા. આ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદારોને અનામત આપીશું તેવા સ્થાનિક નેતાઓના આશ્વાસન બાદ આજે તેમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણા આવ્યા હતા. જેમાં તેમણે પાટીદારોને અનામત આપવા અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પાટીદારોને આપેલા વચનોનો ફુગ્ગો ફૂટી ગયો હતો.
2/4

હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, પાટીદારોએ આપેલા દસ્તાવેજોનો સરકારે અભ્યાસ કર્યો કે કેમ? તે અંગે પુછાયેલા સવાલનો જવાબ આપવાનું નીતિન પટેલે ટાળ્યું હતું. જવાબ આપવાના બદલે તેમણે ભૂતકાળમાં નવનિર્માણ, અનામત આંદોલન સહિતના આંદોલનોમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા દમનની માહિતી આપીને સિફતપૂર્વક જવાબ આપવાનું ટાળી દીધું હતું.
Published at : 22 Dec 2016 12:33 PM (IST)
View More























