શોધખોળ કરો
નટરવરલાલને છુપાવવામાં લાગી છે અમદાવાદ પોલીસ, ઉભા થયા સવાલો
1/4

અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે. ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
2/4

સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે. મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
Published at : 05 Dec 2016 09:45 AM (IST)
View More





















