શોધખોળ કરો
અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિના પત્નીને 1.2 કરોડનું વળતર મળ્યું
1/5

ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
2/5

બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Published at : 01 Mar 2017 10:27 AM (IST)
Tags :
Road AccidentView More





















