શોધખોળ કરો

Vastu Shastra: આવા ઘરમાં સદૈવ રહે છે મા લક્ષ્મીનો વાસ, જયાં રાખવામાં આવે છે આ 5 વસ્તુનો વિશેષ ખ્યાલ

જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી કે પગરખાં અને ચપ્પલ પડ્યાં રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

 Vastu Shastra: હિંદુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓમાંથી દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી અને ભગવાન કુબેરને સંપત્તિના દેવતા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનની તમામ સુખ-સુવિધાઓ સરળતાથી મળી જાય છે. જે લોકો પર મા લક્ષ્મીની કૃપા હોય છે, આવા લોકો હંમેશા સુખી જીવન જીવે છે. શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય, જેને અપનાવીને  માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને જીવનમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિનો આનંદ લઈ શકો છો.

શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે, જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરોમાં સ્વચ્છતા અને સુંદર શણગાર હોય છે, ત્યાં માતા ઝડપથી વાસ કરે છે. આવી સ્થિતિમાં ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી કે પગરખાં અને ચપ્પલ પડ્યાં રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

જે ઘરોમાં  આખી રાત ગંદા વાસણો પડ્યાં રહે, આવી જગ્યાએ  માતા લક્ષ્મીનો વાસ નથી થતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાની કૃપા પાછી ખેંચી લે છે.આવા ઘરમાં ધનનો વ્યય નથી થતો અને હંમેશા ધનની હાનિ થાય છે.

એવી માન્યતાઓ પણ છે કે જે ઘરોમાં સાવરણીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં સાવરણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ઘરના એવા ભાગમાં રાખવી જોઈએ જ્યાં કોઈ તેને સરળતાથી જોઈ ન શકાય. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે સાવરણીને છુપાવીને રાખવાનું વિધાન છે.  આ સિવાય સાવરણીને ક્યારેય પગથી ન લગાડવી જોઈએ અને સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઝાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી ટકતી.

વાસ્તુમાં ઉત્તર દિશાને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે. આ દિશામાં વિશેષ કાળજી રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ દિશાને સ્વચ્છ રાખવી. આ દિશામાં   ક્યારેય પણ ભારે અને નકામી વસ્તુઓ ન રાખવી   જોઈએ. આ દિશામાં સ્વચ્છતા રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

જે ઘરોમાં સવાર-સાંજ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શંખની નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget