શોધખોળ કરો

Chaitra Navaratri Ashtami 2024: આઠમના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ, નહી મળે પૂજાનું ફળ, જાણો નિયમો

Chaitra Navaratri Ashtami 2024: આઠમના દિવસે અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ.

Chaitra Navaratri Ashtami 2024: ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિની આઠમ તિથિ 16 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે માતાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે કુલ દેવીની પૂજા સાથે મા કાલી, દક્ષિણ કાલી, ભદ્રકાલી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.

માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ.

આઠમના દિવસે આ ના કરો

ભૂલથી પણ આ દિવસે મોડે સુધી ઊંઘવું નહીં. આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને માતાનો પાઠ કરો. જો તમે આ દિવસે વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે જલ્દી સ્નાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ.

આ દિવસે પૂજામાં કાળા રંગના કપડા પહેરવાની ભૂલ ન કરવી. આઠમના દિવસે હવન વિના પૂજા ન કરવી જોઈએ. પૂજા હવન કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. હવન કરતી વખતે પ્રસાદનું ખાસ ધ્યાન રાખવું.

આ દિવસે હવન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે હવનની સામગ્રી કુંડમાંથી બહાર ન આવવી જોઈએ. માતાની પૂજા કરતી વખતે મન સંપૂર્ણપણે શાંત હોવું જોઈએ. સંપૂર્ણ ભક્તિભાવથી દેવી દૂર્ગાની પૂજા કરવાથી જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.

પૂજાના નિયમો

આઠમના દિવસે દેવી દુર્ગાની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેથી આ દિવસે નવ માટીના વાસણો રાખવામાં આવે છે અને ધ્યાન દ્વારા દેવી દૂર્ગાના નવ સ્વરૂપોનું આહ્વાન કરવામાં આવે છે.

આઠમના દિવસે દૂર્ગા ચાલીસા અને દૂર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. આ દિવસે વિવાહિત મહિલાઓએ મા ગૌરીને લાલ ચૂંદડી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેમના પતિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

જો તમે આઠમનું વ્રત રાખ્યું હોય તો મહાનવમીના દિવસે કન્યા પૂજા કરો અને વિધિવત ઉપવાસ તોડો. તેનાથી માતાના આશીર્વાદ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Live કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget