શોધખોળ કરો

Chanakya Niti: આ ત્રણ અવગુણો વ્યક્તિના વિકાસને રોકે છે, બુદ્ધિ કરી નાખે છે ભ્રષ્ટ

ચાણક્યની નીતિઓ યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ચાણક્યના અમૂલ્ય વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે.

Chanakya Niti:  ભારતના મહાન રાજનેતા આચાર્ય ચાણક્યએ પોતાની બુદ્ધિમત્તાના કારણે એક અલગ ઓળખ બનાવી છે. ચાણક્યની નીતિઓ યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ચાણક્યના અમૂલ્ય વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. જીવનને સાદું અને સફળ બનાવવા માટે ચાણક્યએ ઘણી નીતિઓ આપી છે, જેને અનુસરીને વ્યક્તિ સફળતા મેળવી શકે છે. કહેવાય છે કે વ્યક્તિની બુદ્ધિ તેને સક્ષમ અને અસમર્થ બનાવે છે. ચાણક્યએ કેટલાક એવા અવગુણોનો ઉલ્લેખ કર્યો છે જે વ્યક્તિની બુદ્ધિ બગાડે છે અને જીવન બરબાદીના માર્ગે જાય છે. આવો જાણીએ કે તે કયા અવગુણોછે.

અહંકાર

અહંકાર વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે. અહંકારી વ્યક્તિ પોતાને બધાથી ઉપર માને છે. જ્યારે વ્યક્તિમાં અહંકારની ભાવના હોય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ ઘમંડમાં હોય છે તે સાચા અને ખોટાનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હોય છે અને પોતાને ઇજા પહોંચાડે છે. અભિમાન વ્યક્તિને સમાજથી અલગ કરે છે કારણ કે કોઈને પણ ઘમંડી લોકો સાથે રહેવું ગમતું નથી. ચાણક્ય કહે છે કે પદ, પૈસા વગેરેનું અભિમાન ક્ષણભર માટે જ છે. જ્યારે ઘમંડ તૂટી જાય છે, ત્યારે વ્યક્તિ ક્યાંયનો નથી રહેતો.

લોભ

લોભ વ્યક્તિની બુદ્ધિનો વિકાસ અટકાવે છે. કંઈક મેળવવાની લાલચ તેને એટલો લોભી બનાવી દે છે કે તેની વિચારવાની ક્ષમતા ખોરવાઈ જાય છે. લોભી વ્યક્તિ હંમેશા સામેની વ્યક્તિનો ફાયદો ઉઠાવવાની તક શોધતો હોય છે. લોભની જાળમાં ફસાયેલી વ્યક્તિ સારા અને ખરાબને સમજવામાં અસમર્થ હોય છે. લોભમાં તમને ક્યારેય સફળતા મળશે નહીં.

કામ

જે વ્યક્તિ વાસનામાં ડૂબી જાય છે તે ક્યારેય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આ એક એવો અવગુણ છે કે જો તે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવે તો તેની બુદ્ધિની સાથે શરીરનો પણ નાશ થાય છે. વાસનાની આસક્તિમાં વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિનો નાશ થાય છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે gujarati.abplive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget