શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
![Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા follow these vastu tips to increase your confidence Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/f29bdb73ba9c0aa92391d53e055769a81657939032_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
Self Confidence For Success: કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉણપને કારણે તે હંમેશા બીજાથી પાછળ રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને સફળતા મળે તો વાસ્તુશાસ્ત્રમાં આત્મવિશ્વાસ વધારવાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અપનાવીને જીવનમાં સફળતા મેળવી શકાય છે.
આ ઉપાયો અપનાવો
- ઘરમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ ધરાવતું ફિશ એક્વેરિયમ રાખો. તેમને નિયમિત ભોજન આપો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણી હદ સુધી વધશે.
- લિવિંગ રૂમમાં ઉગતા સૂર્ય અથવા દોડતા ઘોડાની તસવીર લગાવો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.
- શનિ યંત્રને ઘરમાં રાખો. શનિ યંત્રની સ્થાપના કરવાથી ન માત્ર શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે, પરંતુ તેને ઘરના ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
- પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે, તેથી જમતી વખતે પૂર્વ તરફ મુખ કરો.આ બાજુ મુખ રાખીને ભોજન કરવાથી દેવતાઓના આશીર્વાદ અને સ્વાસ્થ્ય મળે છે અને આયુષ્ય વધે છે.
- દરરોજ સવારે ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો. નિયમિત જાપ મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્ર બુદ્ધિને તેજ બનાવે છે.
- દરરોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે.
- હંમેશા તમારો સમય એવા લોકો સાથે વિતાવો જેઓ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય.
- એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ બીજામાં દોષ શોધે છે. આવા લોકો તમારો ઉત્સાહ ઓછો કરે છે.
- ક્યારેય પણ ખાલી દિવાલની સામે ન બેસો કારણ કે તે તમારા આત્મવિશ્વાસને હલાવી શકે છે.
- ઘરની બારીઓ હંમેશા ખુલ્લી રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ઘરની છત પર પક્ષીઓ માટે નિયમિત રીતે ચારો નાખો અને તેમાં પાણી ભરેલું રાખો.
- ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. જો લીંબુ સુકાઈ જાય તો તેને શનિવારે જ બદલી નાખો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)